Abtak Media Google News

અભેસિંહ રાઠોડ, રાધાબેન વ્યાસ, નિલેશ પંડ્યા, ગંગારામ વાઘેલા અને પંકજ ભટ્ટેએ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી રચિત શૌર્ય, દેશપ્રેમ અને ગાંધી ગીતોની રમઝટ બોલાવી

મહાત્મા ગાંધીની 153મી જન્મજયંતીની પૂર્વ-સંધ્યા તથા ગાંધી-સર્વોદય મૂલ્યો-વિચારોને વરેલાં, ખાદી-રચનાત્મક ક્ષેત્રનાં આગેવાન, આજીવન સમાજ-સેવિકા અને પૂર્વ-સાંસદ સ્વ. જયાબેન વજુભાઈ શાહની જન્મ શતાબ્દી અવસરે — રાજકોટ સ્થિત ઐતિહાસિક રાષ્ટ્રીયશાળા ખાતે ગાંધી વંદના – સ્વરાંજલિ તથા જેણે જીવી જાણ્યું  સ્મરણાંજલિ કાર્યક્ર્મનું આયોજન થયું હતું. આપણાં સ્વાતંત્ર્ય-સંગ્રામ અને તેમાં નામી-અનામી સ્વાતંત્ર્ય-સેનાનીઓએ આપેલ આહૂતિ-બલિદાનથી નવી પેઢી પરિચિત-પ્રેરિત થાય તેમજ રાષ્ટ્ર-ભાવનાનું સંસ્કાર-સિંચન થાય તે આશયથી રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત રાજ્ય તેમજ કમિશ્રર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર તથા ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા આ પ્રેરક આયોજન કરાયું હતું. અગ્રગણ્ય ગાંધી-ખાદી-રચનાત્મક-સર્વોદય સંસ્થાઓ સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ, રાષ્ટ્રીયશાળા અને ગ્રામ સ્વરાજ મંડળનો પણ સહયોગ પ્રાપ્ત થયો હતો.

Advertisement

પિનાકી મેઘાણી, સ્વ. જયાબેન વજુભાઈ શાહ પરિવારનાં ડો. અક્ષયભાઈ-અનારબેન શાહ અને ડો. અમિતાબેન-ડો. દિનેશભાઈ અવસ્થી ઉપરાંત ભારત સરકારના પૂર્વ મંત્રી વલ્લભભાઈ કથીરિયા, ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્ય સચિવ પ્રવીણભાઈ કનુભાઈ (પી. કે.) લહેરી (આઈએએસ),  ભારત સરકારના ખાદી અને ગ્રામોદ્યોગ આયોગના પૂર્વ અધ્યક્ષ અને સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના પ્રમુખ દેવેન્દ્રભાઈ દેસાઈ, ગ્રામ સ્વરાજ મંડળના પ્રમુખ અને સહકારી ક્ષેત્રના અગ્રણી ધીરૂભાઈ ધાબલિયા, રાષ્ટ્રીયશાળાના મેનેજિંગ ટ્રસ્ટી જીતુભાઈ ભટ્ટ અને ઉપપ્રમુખ જયંતીભાઈ કાલરિયા, સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના ઉપપ્રમુખ હિંમતભાઈ ગોડા, પ્રમુખના સહયોગી કરસનભાઈ ડાંગર, વલ્લભભાઈ લાખાણી, મંત્રી પરાગભાઈ ત્રિવેદી, દિપેશભાઈ બક્ષી અને રાજુલભાઈ દવે, લોકભારતી (સણોસરા)ના કુલપતિ અરૂણભાઈ દવે, ગૂજરાત વિદ્યાપીઠના પૂર્વ કુલનાયક અને વૈજ્ઞાનિક ડો. અનામિકભાઈ શાહ, વૈજ્ઞાનિક, ખગોળશાસ્ત્રી અને નહેરુ પ્લેનેટોરિયમના પૂર્વ નિયામક જે. જે. રાવલ, ભારત સરકારના ખાદી અને ગ્રામોદ્યોગ આયોગની સેન્ટ્રલ ખાદી માર્ક કમિટી અને ભાલ નળ કાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળના ચેરમેન ગોવિંદસિંહ ડાભી, ગુજરાત રાજ્ય ખાદી અને ગ્રામોદ્યોગ સંસ્થા સંઘના પ્રમુખ અને સમન્વય (રાજકોટ)ના મંત્રી અજયભાઈ દોશી, ઉદ્યોગ ભારતી (ગોંડલ)ના મંત્રી ચંદ્રકાંતભાઈ પટેલ, મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી અલ્પનાબેન ત્રિવેદી, વલ્લભ ક્ધયા કેળવણી મંડળના ટ્રસ્ટી મધુભાઈ ડોંગા, પ્રફુલભાઈ ગોહિલ અને નિયામક હિરાબેન માંજરિયા,  યુવા પેઢીએ પણ મન મૂકીને કાર્યક્ર્મને માણ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.