Abtak Media Google News

 નવા વાઘ બાળનો જન્મ થતા ઝૂમાં સફેદ વાઘની  સંખ્યા છએ પહોંચી:પદાધિકારીઓ દ્રારા જાહેરાત

રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે સફેદવાઘણે 2 વાઘ બાળને જન્મ આપ્યો હોવાની જાહેરાત મેયર ડો. પ્રદીપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા અને બાગબગીચા અને ઝૂ સમિતિના ચેરમેન  અનિતાબેન ગૌસ્વામી દ્રારા કરવામાં આવી છે.તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્થળ બની ગયેલ છે.

જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે પધારતા હોય છે. દર વર્ષે અંદાજિત 7.25 લાખ મુલાકાતીઓ ઝૂની મુલાકાતે પધારતા હોય છે.સફેદ વાઘ નર દિવાકર તથા માદા વાઘણ ગાયત્રીના સંવનનથી 108 દિવસના ગર્ભાવસ્થાના અંતે ગત 18મીએ  વહેલી સવારના સમયે વાઘ બાળ જીવ- 2(બે)નો જન્મ થયો છે. માતા ગાયત્રી દ્વારા બચ્ચાંઓની પૂરતી કાળજી રાખવામાં આવે છે.

Img20220515174312 Scaled

હાલ માતા તથા બચ્ચા બન્ને તંદુરસ્ત છે. ઝૂ વેટરનરી ઓફિસર તથા ટીમ દ્વારા માતા તથા બચ્ચાંઓનું સીસીટીવી દ્વારા રાઉન્ડ ધ કલોક મોનીટરીંગ કરવામાં આવે છે.રાજકોટ ઝૂ માં સફેદ વાઘવન્યપ્રાણી વિનિમય યોજના હેઠળ રાજકોટ ઝૂ દ્વારા મૈત્રી બાગ ઝૂ, ભીલાઈ (છતીસગઢ)ને સિંહની એક જોડી (સિંહ-નીલ તથા સિંહણ-સૌમ્યા) વર્ષ 2014-15 દરમિયાન આપવામાં આવેલ છે.

જેનાં બદલામાં મૈત્રી બાગ ઝૂ, ભીલાઈ દ્વારા રાજકોટ ઝૂને સફેદ વાધ નર દિવાકર, સફેદ વાધણ યશોધરા તથા સફેદ વાધણ ગાયત્રી આ5વામાં આવ્યા હતા.રાજકોટ ઝૂ દ્વારાકાંકરીયા ઝૂ અમદાવાદને 2017-18 સફેદ વાઘ માદા-1, છતબીર ઝૂ- પંજાબને 2019-20 સફેદ વાઘ માદા-1 રાજીવ ગાંધી ઝૂલોજીકલ પાર્ક-પૂના 2020-21 સફેદ વાઘ માદા-1, ઇન્દ્રોડા નેચર પાર્ક-ગાંધીનગર 2020-21 સફેદ વાઘ નર-1, માદા-1 અને ડો.શ્યામાપ્રસાદ મુખર્જી ઝૂલોજીકલ ગાર્ડન- સુરત 2021-22 સફેદ વાઘ નર-1, માદા-1 આપવામાં આવ્યા છે.

રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતેનું કુદરતી જંગલ સ્વરૂપેનું નૈસર્ગીક વાતાવરણ સફેદ વાઘ તથા એશીયાઇ સિંહોને અનુકુળ આવી જતા સમયાંતરે ખુબ જ સફળતાપૂર્વક સંવર્ધન થઇ રહેલ છે. હાલ ઝૂ ખાતે સફેદ વાઘબાળ-2નો જન્મ થતા સફેદ વાઘની સંખ્યા 6 થઇ ગયેલ છે. જેમાં પુખ્ત નર-1, પુખ્ત માદા-3 તથા બચ્ચા-2નો સમાવેશ થાય છે. હાલ ઝૂ માં જુદી જુદી 59 પ્રજાતિઓનાં કુલ-490 વન્યપ્રાણી-પક્ષીઓ મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરવામાં આવે છે. રાજકોટ પ્રાણીઉદ્યાનનો આધુનીક ઢબે વિકાસ કરાતા મુલાકાતીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયેલ છે.

રાજકોટ ઝૂમાં અત્યારે સુધીમાં 11 સફેદ વાઘનો જન્મ

રાજકોટ ઝૂ ખાતે અગાઉ સફેદ વાઘમાં થયેલ બ્રીડીંગમાં નર વાઘ દિવાકર તથા માદા વાઘણ યશોધરાના સંવનનથી તા.06/05/2015ના રોજ સફેદ વાઘ બાળ 1 માદાનો જન્મ થયો હતો. નર વાઘ દિવાકર તથા માદા વાઘણ ગાયત્રીના સંવનનથી તા.16/05/2015ના રોજ સફેદ વાઘ બાળ 4 માદાનો જન્મ થયો હતો નર વાઘ દિવાકર તથા માદા વાઘણ ગાયત્રીના સંવનનથી તા.02/04/2019ના રોજ સફેદ વાઘ બાળ 4 (નર-02 માદા-02)નો જન્મ થયો હતો.તાજેતરમાં નર વાઘ દિવાકર તથા માદા વાઘણ ગાયત્રીના સંવનનથી તા.18મીના રોજ સફેદ વાઘ બાળ 2 (બે) નરનો જન્મ થયો હતો. રાજકોટ ઝૂ ખાતે અત્યાર સુધીમાં કુલ 11 સફેદ વાઘ બાળનો જન્મ થયો છે. જેમાંથી ગાયત્રી વાઘણે 10 બચ્ચાંને જન્મ આપેલ તેમજ યશોધરા વાઘણે 1 બચ્ચાંને જન્મ આપ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.