Abtak Media Google News

બાથરૂમમાં ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવતા પરિવારમાં કલ્પાંત

શહેરના  રૈયા રોડ પર આવેલી દ્વારકેસ સોસાયટીમાં રહેતા યુવાને બાથરૂમમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરતા પરિવારમાં કલ્પાંત છવાયો છે. પરિવારના જણાવ્યા મુજબ મૃતક યુવાનને પબજી રમવાની ટેવ હોય અને તેના કારણે જ આપઘાત કર્યાની શંકા વ્યક્ત કરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રૈયારોડ પરની દ્વારકેશ સોસાયટીમાં રહેતા આનંદ પ્રતાપભાઇ અગ્રાવત નામના 18 વર્ષના યુવકે રવિવાર બપોરે નહાવા જતો હોવાનું કહી પોતાના ઘરે બાથરૂમમાં નવેરાની ખીલાસરી સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ લીધો હતો, લાંબો સમય વીતવા છતાં આનંદ બહાર નહીં આવતા શંકા જતાં પરિવારજનોએ બારણું તોડતાં જ આનંદ લટકતી હાલતમાં મળી આવ્યો હતો, તેને નીચે ઉતારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ તેનું મોત નીપજ્યું હતું. યુવકના આપઘાતની ઘટનાની જાણ થતાં યુનિવર્સિટી પોલીસના એએસઆઇ ઇકબાલભાઇ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક આનંદ બે ભાઇ અને એક બહેનમાં વચેટ હતો અને કપડાંના શો-રૂમમાં નોકરી કરતો હતો, તેના પરિવારજનોએ પોલીસ સમક્ષ કહ્યું હતું કે, આનંદને આપઘાત કરવો પડે તેવું કોઇ પણ કારણ નહોતું પરંતુ તે પબજી રમવાની ટેવ ધરાવતો હતો અને સતત પબજી રમતો હતો તે કારણે તેણે આપઘાતી પગલું ભર્યાની શંકા વ્યક્ત કરી હતી. અગ્રવાત પરિવારના જુવાનજોધ પુત્રના આપઘાતના કારણે શોકનો માહોલ છવાયો છે. પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.