Abtak Media Google News

આફવાઓથી ASIને સરવેમાં અડચણો, વહીવટીતંત્રને અફવાઓ અટકાવવા કરી માંગ

ઉત્તર પ્રદેશના વારાણસીમાં સ્થિત જ્ઞાનવાપી મસ્જિદના પરિસરનો સર્વે ચાલી રહ્યો છે. આજે 5માં દિવસે જ્ઞાનવાપી સર્વેની કામગીરી ચાલી રહી છે.બીજી તરફ અફવાઓથી નારાજ ASIએ વહીવટીતંત્રને અફવાઓ અટકાવવા માંગ કરી છે.

Advertisement

Gyanvapi Mosque Kashi

અગાઉ રવિવારે જ્ઞાનવાપીની રચનાને સંપૂર્ણ રીતે સમજવા માટે સેટેલાઇટ દ્વારા તેનું 3D મેપિંગ કરવામાં આવ્યું હતું. જ્ઞાનવાપીના ત્રણેય ડોમનો સર્વે કરવામાં આવ્યો હતો. રવિવારે સવારે 8 થી સાંજના 5 વાગ્યા સુધી સર્વેની કામગીરી ચાલી હતી. સર્વે દરમિયાન જ્ઞાનવાપીમાં ASIના 58 લોકો, હિન્દુ પક્ષના 8 અને મુસ્લિમ પક્ષના ત્રણ લોકો હાજર હતા.

કેવી કેવી અફવાઓ ફેલાઈ રહી છે?

જ્ઞાનવાપી કેમ્પસમાં ચોથા દિવસે ASI સર્વે શરૂ થયો છે અને સૌથી મોટા ખુલાસા થવાની ધારણા છે. જ્ઞાનવાપી સંકુલના ભોંયરામાં અને ગુંબજની તપાસ દરમિયાન, હિન્દુ પક્ષોએ દાવો કર્યો છે કે તેમને ઘંટડી અને ફૂલોના પાંદડાથી છપાયેલા ઘણા થાંભલા મળ્યા છે.

Images 2

આ સ્તંભોમાં પ્રાચીન હિન્દી ભાષામાં લખાયેલા ઘણા લેખો પણ મળી આવ્યા છે. હિન્દુ પક્ષ એવો પણ દાવો કરી રહ્યું છે કે ભોંયરામાં ચાર ફૂટની મૂર્તિ પણ મળી આવી છે. જેના પર કેટલીક કલાકૃતિઓ છે. એએસઆઈ તેના હાઈટેક ઈન્સ્ટ્રુમેન્ટ્સ દ્વારા મૂર્તિનો સમયગાળો શોધી રહી છે.માનીએ તો મૂર્તિ સિવાય બે ફૂટનું ત્રિશુલ પણ મળી આવ્યું છે. આ સાથે દિવાલ પર પાંચ કળશ અને કમળના નિશાન પણ મળી આવ્યા છે.

કોર્ટના આદેશ મુજબ સર્વે ટીમે 2જી સપ્ટેમ્બર સુધીમાં પોતાનો રિપોર્ટ રજૂ કરવાનો રહેશે. બીજી તરફ મુસ્લિમ પક્ષે મસ્જિદ અંગે વિવિધ અફવાઓ ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. તો આ રીતે ફેલાઈ રહેલી અફવાઓથી ASI અને મુસ્લિમ પક્ષમાં પણ નારાજગી જોવા મળી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.