દાઉદી વ્હોરા સમાજના સર્વોચ્ચ ધર્મગુ‚ આજે સોમવારે સાંજે ગુજરાતના ગોધરા શહેરમાં પધારતા હોવાથી સૌરાષ્ટ્રના પ્રત્યેક વ્હોરા બિરાદરોમાં ખુશાલીના ઘોડાપુર ઉમટયા છે. પાકિસ્તાનની યાત્રા બાદ વિશ્ર્વભરના વ્હોરા સમાજના ત્રેપનમાં દાઈ ડો.સૈયદના જાફરૂસ્સાદીક આલીકદર મુફદ્દલભાઈ સાહેબ “સૈફૂદ્દીન (ત.ઉ.શ.) આજે તા.૧૬ને સોમવારના ગોધરા એમ એસ બી નામની શિક્ષણ સંસ્થાના લોકાર્પણ નિમિત્તે પધારતાં હોવાથી ગુજરાતભરમાંથી હજારોની સંખ્યામાં તેમના અનુયાયીઓ દર્શન અંગે ગોધરા જશે. સૈયદના સાહેબના દિદારની એક ઝલક જોવા મળે અને બેડો પાર થઈ જાય તે હેતુથી રાજકોટ, જામનગર, અમરેલી, જૂનાગઢ, સુરેન્દ્રનગર, પોરબંદર, ભાવનગર, મોરબી, બોટાદ જેવા કેટલાક જિલ્લાઓમાંથી તેમના પ્રખર અનુયાયીઓ ગોધરા જશે.
Trending
- કોણીની કાળાશ તમારા હાથની સુંદરતા બગાડી રહી છે..?
- Madhuri Dixit Birthday: ધક ધક ગર્લના ફિલ્મી કરિયરની કહાની
- શું તમે જાણો છો કે તમારા આધાર કાર્ડ સાથે કેટલા ફોન નંબર લિંક છે?
- ચારધામ યાત્રામાં ફસાયેલા ગુજરાતી યાત્રિકોને મુખ્યમંત્રીના સૂચનના પગલે ઉત્તરાખંડ સરકારે જરૂરી સુવિધા પૂરી પાડી
- ઉનાળામાં આ રીતે સનસ્ક્રીન લગાવશો તો ટેનિંગ નહીં થાય…
- બુધવારે આ કાર્ય કરશો તો ક્યારેય પૈસાની સમસ્યા નહીં થાય
- સાવધાન!!!લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર બોગસ તબીબ ઝડપાયો
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોઆંતરિક સૂઝમાં વૃદ્ધિ થાય ,સંતાન અંગે સારું રહે,પરિવાર માં આનંદ રહે ,શુભ દિન.