Abtak Media Google News

દાઉદી વ્હોરા સમાજના સર્વોચ્ચ ધર્મગુ‚ આજે સોમવારે સાંજે ગુજરાતના ગોધરા શહેરમાં પધારતા હોવાથી સૌરાષ્ટ્રના પ્રત્યેક વ્હોરા બિરાદરોમાં ખુશાલીના ઘોડાપુર ઉમટયા છે. પાકિસ્તાનની યાત્રા બાદ વિશ્ર્વભરના વ્હોરા સમાજના ત્રેપનમાં દાઈ ડો.સૈયદના જાફરૂસ્સાદીક આલીકદર મુફદ્દલભાઈ સાહેબ “સૈફૂદ્દીન (ત.ઉ.શ.) આજે તા.૧૬ને સોમવારના ગોધરા એમ એસ બી નામની શિક્ષણ સંસ્થાના લોકાર્પણ નિમિત્તે પધારતાં હોવાથી ગુજરાતભરમાંથી હજારોની સંખ્યામાં તેમના અનુયાયીઓ દર્શન અંગે ગોધરા જશે. સૈયદના સાહેબના દિદારની એક ઝલક જોવા મળે અને બેડો પાર થઈ જાય તે હેતુથી રાજકોટ, જામનગર, અમરેલી, જૂનાગઢ, સુરેન્દ્રનગર, પોરબંદર, ભાવનગર, મોરબી, બોટાદ જેવા કેટલાક જિલ્લાઓમાંથી તેમના પ્રખર અનુયાયીઓ ગોધરા જશે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.