Abtak Media Google News

ભાગિયુ રાખતા યુવાનને વાડી ખાલી કરવાની ધમકી આપી બે શખ્સોએ માર માર્યો

ગોંડલમાં ગુંદાળા ચોકડી પાસે ભાગિયુ રાખી ખેતી કામ કરતા યુવાન પર બે શખ્સોએ હુમલો કરતા તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં યુવાને ફાયનાન્સના ધંધાર્થી અને તેના સાગરીત પર આક્ષેપ કર્યા હતા. આ જમીનનો કબ્જો મારો છે તેમ કહી બે શખ્સો તૂટી પડ્યા હતા.

Advertisement

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ ભગવતપરા શેરી-5માં રહેતા અને ગુંદાળા ગામ પાસે ભાગિયુ રાખી ખેતીકામ કરતા ધર્મેન્દ્ર મનજીભાઈ વૈષ્ણવ નામના 28 વર્ષના યુવાન પર શ્રી રામ ફાયનાન્સના ધંધાર્થી રામ ભરવાડ અને તેના સાગરીતે ધોકા વડે હુમલો કરતા યુવાનને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

હોસ્પિટલના બિછાને રહેલા ધર્મેન્દ્ર વૈષ્ણવે જણાવ્યું હતું કે પોતે છેલ્લા ત્રણ વર્ષથી ગુંદાળા ચોકડીથી આગળ ગુંદાળા જતા આવતી જયેશભાઈ વિરડીયાની જમીન રાખી ખેતી કામ કરે છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી રામ ભરવાડ ” આ જમીન પર કબ્જો મારો છે” તેમ કહી ધર્મેન્દ્ર વૈષ્ણવને જમીન ખાલી કરવા ધમકીઓ આપી હતી.

ત્યાર બાદ ધર્મેન્દ્રએ ખાલી કરવાની હા પાડતા તેને રામ ભરવાડે ફોન કરી યુવાનને મળવા બોલાવ્યો હતો. યુવાન બાઈક લઈ મળવા આવ્યો હતો ત્યારે ઇનોવા કારમાં ઘસી આવેલા રામ ભરવાડ અને અન્ય એક શખ્સ ધોકા વડે તૂટી પડ્યા હતા. જેથી ઘવાયેલા યુવાનને ગોંડલ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.