Abtak Media Google News

 

વાડીએ પથ્થરમારો કરતાં બંનેને સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયા

 

ગોંડલ તાલુકાના નવાગામમાં ચોરા પાસે વાડીમાં શેઢા બાબતે જેઠ અને તેના નાના ભાઈની પત્ની પર પાડોશીઓએ પથ્થરમારો કરતા બંનેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ તાલુકાના નવાગામમાં ચોરા પાસે રહેતા અને ખેતીકામ કરી ગુજરાન કરતા વનીતાબેન રામજીભાઈ સરવૈયા (ઉ.વ.45) અને તેમના જેઠ ઉકાભાઇ ગાંડુભાઈ સરવૈયા (ઉ.વ.70) પર તેમની બાજુની વાડી વાળા ભરત નાથા સહિતનાઓએ પથ્થરમારો કર્યો હતો.

આ અંગે વધુ વિગત મુજબ ગઇ કાલે વનીતાબેન સરવૈયા અને તેના જેઠ ગઇ કાલે વાડીએ હતા ત્યારે શેઢા બાબતની તકરારમાં ભરત નાથા સહિતનાઓએ પથ્થરમારો કરતાં બંનેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.