Abtak MediaAbtak Media
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
What's Hot

હનીમૂનને વધુ રોમાન્ટિક બનાવવા કરો આ રીતે પ્લાન

ચંદ્ર-સૂર્ય પછી, હવે શુક્રનો વારો, ISRO આગામી મિશનમાં વ્યસ્ત

રાજકોટ રેલનગર અન્ડરબ્રિજ બે માસ માટે બંધ: પોલીસ કમિશનરનું જાહેરનામું

Facebook YouTube Instagram Twitter
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    હવે તામિલનાડુમાં ભાજપે એકલા હાથે લડવું પડશે !

    26/09/2023

    કોંગ્રેસના આઠ સિનિયર નેતાઓને લોકસભાની 26 બેઠકોેની જવાબદારી

    25/09/2023

    આમ આદમી પાર્ટીનો સાથ છોડી યુવા સમિતિએ કોંગ્રેસનો પંજો પકડ્યો

    23/09/2023

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે મંગળવારે સાંજે ગુજરાતમાં આવશે

    23/09/2023

    રાહુલ ગાંધી કુલી બન્યા અને ઉપાડ્યો બોજ, લોકોએ કહ્યું ફક્ત તે જ કરી શકે છે આ

    21/09/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook YouTube Instagram Twitter
Abtak MediaAbtak Media
LIVE TV E-PAPER
TRENDING
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Abtak MediaAbtak Media
You are at:Home»Gujarat News»સારા ચોમાસાના કારણે દેશના અન્ન ભંડારો છલકાઈ જશે: 2021-22માં 307 મીલીયન ટન અનાજનું ઉત્પાદનનું લક્ષ્ય
Gujarat News

સારા ચોમાસાના કારણે દેશના અન્ન ભંડારો છલકાઈ જશે: 2021-22માં 307 મીલીયન ટન અનાજનું ઉત્પાદનનું લક્ષ્ય

By ABTAK MEDIA01/05/20212 Mins Read
Share Facebook Twitter WhatsApp
Share
Facebook Twitter WhatsApp

ઓણ સાલ વરૂણદેવ દેશ ઉપર સારી રીતે રીઝવાના હોય તેમ હવામાન ખાતાએ સારા ચોમાસાના કરેલા વરતારાના પગલે કેન્દ્ર સરકારે શુક્રવારે 307 મીલીયન ટન અનાજનું ઉત્પાદનનું લક્ષ્ય હાસલ કરવાનો સંકલ્પ કર્યો છે. આ વર્ષે ચોમાસાના ઋતુચક્રમાં સારા વરસાદમાં અનાજ ઉત્પાદ ગયા વર્ષ કરતા 1.3 ટકા વધુ રહેશે. ગયા વર્ષે અનાજનું જેવું ઉત્પાદન થયું હતું તેના કરતા 4 મેટ્રીક ટન પાક ઉત્પાદન થશે. વર્ષ 2020-21નું આ વર્ષ પુરતા પ્રમાણમાં વરસાદ વરસાવનારૂ હોવાથી ડાંગરના પાકમાં ગયા વર્ષની સરખામણીએ 1 ટકાનો વધારો આવશે. આ ઉપરાંત જવ, ધાન, કઠોળ અને સારા વરસાદના પગલે ઘઉ સહિતના શિયાળુ પાકમાં પણ વધારો થશે. ચોખા, ઘઉં, જુવાર, બાજરો, મકાઈ, રાગી, બાજરી સહિતની અનાજથી આ વખતે સરકારના ગોદામ ભરાઈ જશે. ભારતીય હવામાન વિભાગ દ્વારા 16મી એપ્રીલે કરેલ હવામાનની આગાહીમાં જુનથી સપ્ટેમ્બર દરમિયાન 98 ટકા વરસાદ વરસશે જે ગયા વર્ષની સરખામણીમાં સવાયો હશે. 1961 થી 2020 સુધીની 88 સે.મી.ના સરેરાશ વરસાદના બદલે આ વખતે સરેરાશ 96 થી 104 ટકા વરસાદ થશે. દક્ષિણ-પશ્ર્ચિમ મોનસુન સીસ્ટમ સક્રિય થવાથી જૂનથી સપ્ટેમ્બર દરમિયાન સમગ્ર દેશમાં વરસાદનું પ્રમાણ 104 ટકા રહેશે. સરકારે સારા ચોમાસાને લઈને ખેડૂતોને પણ પાકની પસંદગીમાં સારૂ ચોમાસુ ધ્યાને રાખવા જણાવાયું છે. કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે સારા વરસાદના પગલે દેશમાં બમ્પર પાકનું લક્ષ્ય રાખ્યું છે. ખેડૂતોને ટેકાના ભાવે સારી આવક થાય અને મબલખ પાકથી અર્થતંત્રને બળ મળે તેવી આશા વ્યકત કરી છે.

પૂર્વોત્તર અને મધ્ય ભારતમાં માવઠુ ખેત પ્રવૃતિને થોડીવાર થંભાવી દેશે ?

ચોમાસાના આગમનની તૈયારી થઈ રહી છે ત્યારે ખેતરોમાં ઉભેલા ઉનાળુ મોલ પર કમોસમી વરસાદનું જોખમ ઉભુ થયું છે. આગામી સાતેક દિવસમાં દેશમાં પૂર્વ અને મધ્યભાગમાં કમોસમી વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે.  પશ્ર્ચિમ બંગાળ, ઓરીસ્સા, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યમાં કમોસમી વરસાદ અંગે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ કમોસમી વરસાદથી ઉનાળુ પાક પર માઠી અસર થાય તેવી દહેશત ઉભી થશે. ભારે પવન, વરસાદ સહિતની માવઠાની આ પરિસ્થિતિમાં હિમાલયના ગ્રામ્ય વિસ્તારો, પશ્ર્ચિમ બંગાળ, સીક્કીમ, ઝારખંડ, બિહાર અને ઓરિસ્સામાં એપ્રીલ મહિનાના અંતમાં જ્યારે મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં પશ્ર્ચિમ બંગાળ, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠાવાડ, વિદર્ભ, તેલંગાણા વિસ્તારમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. ખેડૂતોને સુચિત કરવામાં આવ્યા છે કે, માવઠાથી થનારૂ નુકશાનની નિયંત્રણ વ્યવસ્થા કરે. અત્યારે ડાંગર, તલ, શાકભાજીના પાકો પર પશ્ર્ચિમ બંગાળ, ઓરીસ્સામાં જોખમ ઉભુ થયું છે. ઉનાળુ કપાસના વાવેતરમાં પણ આ વરસાદ વિઘ્ન બનશે. ચક્રવાત સક્રિય થતાં ભારે દબાણના કારણે આ વખતે ચોમાસામાં વરસાદ ઉનાળાના અંતિમ ચરણમાં જ મંડરાઈ રહ્યો છે ત્યારે ખેડૂતો માટે વરસાદ નફાના બદલે ખોટ આપનારૂ બની રહે તેવું દેખાઈ ર્હયું છે.

AGREECULTURE farmer farming featured INDIA
Share. Facebook Twitter WhatsApp
Previous Articleઆજે રાજાઓના રાજા ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે સર્વોપરીતાનો જંગ !!
Next Article ‘પ્રાણવાયુ’ને લઈ દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારને ઠપકો આપ્યો
ABTAK MEDIA
  • Website

Related Posts

ચંદ્ર-સૂર્ય પછી, હવે શુક્રનો વારો, ISRO આગામી મિશનમાં વ્યસ્ત

27/09/2023

રાજકોટ બેડીપરા ફાયર સ્ટેશન પાસે સામાન્ય બાબતે પિતા પુત્ર પર હુમલો

27/09/2023

રાજકોટ રેલનગર અન્ડરબ્રિજ બે માસ માટે બંધ: પોલીસ કમિશનરનું જાહેરનામું

27/09/2023
Add A Comment

Comments are closed.

Top Posts

હનીમૂનને વધુ રોમાન્ટિક બનાવવા કરો આ રીતે પ્લાન

27/09/2023

ચંદ્ર-સૂર્ય પછી, હવે શુક્રનો વારો, ISRO આગામી મિશનમાં વ્યસ્ત

27/09/2023

રાજકોટ રેલનગર અન્ડરબ્રિજ બે માસ માટે બંધ: પોલીસ કમિશનરનું જાહેરનામું

27/09/2023

રાજકોટ બેડીપરા ફાયર સ્ટેશન પાસે સામાન્ય બાબતે પિતા પુત્ર પર હુમલો

27/09/2023

રાજકોટ કલેકટર કચેરીએ અનુ. જાતિ અધિકાર આંદોલનની મહાપંચાયત: 1500 લોકો ઉમટયા

27/09/2023
Stay In Touch
  • Facebook
  • YouTube
  • WhatsApp
  • Twitter
  • Instagram
Most Popular

રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

03/06/2021

ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

19/06/2021

ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

08/11/2017
Our Picks

હનીમૂનને વધુ રોમાન્ટિક બનાવવા કરો આ રીતે પ્લાન

ચંદ્ર-સૂર્ય પછી, હવે શુક્રનો વારો, ISRO આગામી મિશનમાં વ્યસ્ત

રાજકોટ રેલનગર અન્ડરબ્રિજ બે માસ માટે બંધ: પોલીસ કમિશનરનું જાહેરનામું

Advertisement
© 2023 Abtak Media. Designed by Black Hole Studio.
  • About us
  • Privacy Policy
  • Abtak Epaper
  • Live TV

Type above and press Enter to search. Press Esc to cancel.