Abtak Media Google News

ગુજરાતી સાહિત્ય અને પત્રકારત્વમાં અગ્રેસર એવા લોકપ્રિય વાર્તાકાર, નવલકથાકાર અને કટારલેખક મોહમ્મદભાઈ માંકડ લાંબા સમયથી બીમાર હતા ત્યારે લબ્ધ પ્રતિષ્ઠિત ગુજરાતી સાહિત્યકાર મહમદ માંકડનું ગાંધીનગર ખાતે 94 વર્ષની જૈફ વયે નિધન થયું છે. શનિવારની સાંજે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
તેમની અંતિમયાત્રા ગાંધીનગર ખાતે એમના નિવાસસ્થાન બંગલો નંબર 153 થી રવિવારે સવારે 10.00 કલાકે નીકળશે.

Advertisement

સાહિત્યકાર મહમદ માંકડનો જન્મ:

મોહંમદ માંકડનો જન્મ 13, ફેબ્રુઆરી, 1928 ના રોજ પળિયાદમાં થયો હતો. તેમણે બી.એ. સુધીનો અભ્યાસ કર્યો અને બોટાદ ખાતે માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે સેવા આપી હતી. જેના બાદ તેમણે સુરેન્દ્રનગરને કાયમી વસવાટ અને પૂર્ણ સમય માટે લેખનને વ્યવસાય તરીકે સ્વીકાર્યું હતું. તેઓ ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રથમ પ્રમુખ પણ હતો. તેમણે નવલકથા, નવલિકા, નિબંધો, બાળકથાઓ વગેરેમાં અદભૂત રચના કરી હતી.

મહમદ માંકડને મળેલા પુરસ્કાર

  • ગુજરાતી સાહિત્યમાં મોહમ્મદ માંકડને તેમના યોગદાન બદલ
  • સાહિત્ય ગૌરવ પુરસ્કાર 2018થી સન્માનિત કર્યા હતા.

ગુજરાતી સાહિત્ય અકાદમી ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, ઉર્દૂ અને કચ્છી ભાષાઓમાં નોંધપાત્ર યોગદાન આપનાર લેખકોને સાહિત્ય ગૌરવ પુરસ્કાર એનાયત કરે છે

. “મોહમ્મદ માંકડે સાત દાયકા કરતાં વધુ સમયથી તેમના સાંસ્કૃતિક અને ચિંતન સાહિત્ય દ્વારા વિશ્વની ઉત્તમ સેવા કરી છે.

તેમના સુપ્રસિદ્ધ પુસ્તકો

પ્રાર્થના: પોતાની જાતને પામવાનો સરળ માર્ગ, વહેમ, મનોરમા, રાતવાસો, સુખ એટલે…., આપણે માણસ વગેરે છે

મહમદ માંકડની નવલકથાઓ

કાયર, ધુમાસ, અજાણ્યાં બે જણ, ગ્રહણરાત્રિ, મોરપિચ્છના રંગ, વંચિતા, રાતવાસો, ખેલ, દંતકથા, મંદારવૃક્ષ હેઠળ ખૂબ પ્રખ્યાત થયા હતા.

નવલિકા કલેક્શન

ઝાકળનાં મોતી, મનના મરોડ, વાતવાતમાં લોકોમાં લોકપ્રિય બની છે.

પ્રેરક નિબંધ

આજની ક્ષણ, કેલિડોસ્કોપ (ભાગો 1-4); આનંદની વાત એ છે કે આપણે મનુષ્યો (ભાગ 1-2) ખૂબ પ્રખ્યાતી મળી છે.

બાળવાર્તા

ચંપુકથા પણ બાળકોમાં ખુબ જ પ્રખ્યાતી મળી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.