કાશ્મીર ઘાટીમાં સેનાના જવાનોના અપમાન અને જવાનો પર થતી પથ્થરબાજીની ઘટનાથી સંપૂર્ણ દેશ આક્રોશમાં છે. સેનાના જવાનોને ઘેરવા, પથ્થરમારો કરવો, ગાળો આપવી એવી પ્રવૃતિ રોજબરોજની બની ગઈ છે. સેનાના જવાનોને પથ્થરબાજો પર ગોળી ચલાવવી કે પેલેટગનનો ઉપયોગ જેવી યોગ્ય સૈનિકને શોભે તેવી કાર્યવાહી કરવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવે છે. શકિત, સાહસ, શોર્ય, અનુશાસન હોવા છતા ભારતીય સૈનિકો પથ્થરમારા તથા અત્યાચાર સામે કશુ કરી શકતા નથી. જેના અંતર્ગત બજરંગદળ આજના દિવસે પુરા ભારત દેશમાં વિરોધ પ્રદર્શન કરવાનું નકકી કરેલ જે અનુસંધાને આજરોજ રાજકોટમાં ત્રિકોણબાગ ખાતે સવારે પ્લેકાર્ડ, સુત્રોચ્ચાર તથા મુસ્લિમ પથ્થરબાજોના પુતળાનું દહન કરી રોષ વ્યકત કરવામાં આવેલ. જેમાં હરેશભાઈ ચૌહાણ, હસુભાઈ ચંદારાણા, કલ્પેશભાઈ રાવલ, રીશીતભાઈ શીંગાળા, હાર્દિકભાઈ વાઘેલા, વિરલભાઈ વડગામા, રશ્મીતભાઈ પટેલ, બ્રિજેશભાઈ લોઢીયા, દિપકભાઈ ગમઢા, અનિરુઘ્ધસિંહ ચાવડા, ધનરાજભાઈ રાધાણી, હિતેશભાઈ મકવાણા,હાસીતભાઈ પટેલ, ધ્રુવભાઈ કુંડેલ, ભરતભાઈ જાદવ, પ્રશાંત કટારીયા, દિનેશ પારવાણી, જીતેશભાઈ રાઠોડ, સુરેશભાઈ વોરા, મનોજ ડોડીયા, ચંદુભાઈ, ભાર્ગવભાઈ ટીલાવત, પરેશભાઈ ‚પારેલીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
Trending
- આગામી સપ્તાહે ખુલશે 3 IPO …..રોકાણકારો થશે માલામાલ
- ઘરેલુ હિંસામાં કલમ 498નો ઉપયોગ બંધ કરવાનો સમય પાકી ગયો : સુપ્રીમ
- લ્યો બોલ હવે આ કારણથી ઓડિશાની પુરી સીટ પરથી કોંગ્રેસના ઉમેદવારે મેદાન છોડ્યું
- ઇફ્કોના ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડીયા અને બિપીન પટેલ વચ્ચે ટક્કર
- વાંકાનેર:પુત્રીના અપહરણની આશંકાએ બે યુવકોનું અપહરણ કરી માર માર્યો
- સ્કૂટર માં પણ હવે સીએનજી : ક્રૂડ પરનું ધારણ ઘટાડવા સરકારનો માસ્ટર પ્લાન્ટ
- બ્રિટનના પૂર્વ વડાપ્રધાનને મતદાન મથકેથી લીલા તોરણે પાછા વાળી દેવાયા!!
- નારગોલ દરિયા કિનારો પ્રિ-વેડિંગ શૂટ માટે ફેવરીટ ‘ડેસ્ટીનેશન’