Abtak Media Google News

ગઈકાલના  રોજ મેધરાજાના આગમનથી રાજકોટ ખાતે આવેલા સરદાર વલ્લભભાઇ પટેલ માર્કેટિંગ  યાર્ડમાં ખેડૂતોને ભારે નુકસાન થયું હતું.

ખેડૂતોએ જણાવ્યુ હતું કે અંદાજે 900 થી 1000 કિગ્રા મગફળી તથા સાથે સાથે બીજા ઉત્પાદનો પણ પાણીમાં તણાઇ ગયા હતા . જેનાથી ખેડૂતો બેહાલ થઈ ગયા છે. આ ઉત્પાદન તેમની એક વર્ષની મહેનત છે જે પાણીમાં તણાઇ ગયું છે.

ખેડૂતો માર્કેટિંગ યાર્ડના સતાધીસો પાસે રજૂઆત કરશે, જેમાં તેઓ તેમના ઉત્પાદનનો કિમતની માગણી કરશે અને જો માગણી પૂરી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન તથા હડતાળ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.