લખપત તાલુકાના દયાપર પોલીસ મથકમાં ફરજ બજાવતા ૪૮ વર્ષિય હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ ગજુભા ભગવાનજી જાડેજાનું અજાણ્યા વાહનની અડફેટે ગંભીર ઈજાઓથી મોત નીપજ્યું છે. માર્ગ અકસ્માતમાં પોલીસ કોન્સ્ટેબલના અકાળે થયેલાં મોતથી પશ્ચિમ કચ્છના પોલીસબેડામાં શોક છવાઈ ગયો છે. ગજુભા ગત રાત્રે ફરજ પૂરી કરી મોટર સાયકલ પર દોલતપર ખાતે આવેલાં નિવાસસ્થાને પરત જઈ રહ્યા હતા. ત્યારે, દયાપર પોલીસ સ્ટેશનથી બે કિલોમીટર દૂર દયાપર–માતાના મઢ હાઈવે પર આવેલી ફોરેસ્ટ નર્સરી પાસે અજાણ્યા વાહને તેમને ટક્કર મારી હતી. દુર્ઘટનામાં તે બાઈક સાથે રોડની એકસાઈડે ઝાડીમાં ફંગોળાઈ ગયાં હતા. ગંભીર ઈજાઓથી તેમનું મોત નીપજ્યું હતું. દુર્ઘટના અંગે રાત્રિ દરમિયાન કોઈને કશી ખબર પડી નહોતી. આજે સવારે આ બનાવની જાણ થતાં લોકોએ ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ બોલાવી હતી. પરંતુ, દયાપરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ગજુભા મૂળ અબડાસા તાલુકાના નારણપર ગામના વતની હતા. અગાઉ તે નારાયણ સરોવર સહિતના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ચૂક્યાં છે. તેમના મોટા ભાઈ એડવોકેટ બટુકસિંહ ભગવાનજી જાડેજાએ દુર્ઘટના અંગે દયાપર પોલીસ મથકે અજાણ્યા વાહનચાલક વિરુધ્ધ આઈપીસી ૩૦૪–એ, ૨૭૯ અને મોટર વેહિકલ એક્ટની વિવિધ કલમો તળે ફરિયાદ નોંધાવી છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સવાર બાજુ દોડધામ રહે અને સાંજ ખુશનુમા વીતે
- જાણો એવા ખોરાક વિશે જે તમારા દાંતને સ્વસ્થ રાખે છે.
- લગ્નની લાલચ આપી 17 વર્ષીય સગીરા પર નરાધમનો દુષ્કર્મ
- ચકચારી દુષ્કર્મ કેસમાં શાળાના આચાર્યનો નિર્દોષ છુટકારો
- ‘હરખપદુડા’ બોલવા મામલે પરેશ ધાનાણી વિરૂધ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ
- રાજકોટ : 200 બુથ ઉપર કુલર મુકાશે, 1092 બુથ ઉપર માંડવા નાખી છાંયડો કરાશે
- આ જંગલમાં બીહામણા આવાજ સાંભળવાનું કારણ જણાવતા વૈજ્ઞાનિકો
- ભલે ઇઝરાયેલ મિત્ર હોય, પણ ભારત પેલેસ્ટાઈનની સ્વતંત્રતાનું હિમાયતી