Abtak Media Google News

ભારતીય સંસ્કૃતિમાં શક્તિ ઉપાસનાનું સ્થાન અલૌકિક, અનોખુ અને અજોડ છે. માતાના મઢમાં આશાપુરા શકિત પીઠ ખાતે આસો  અને ચૈત્રી નવરાત્રી ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. આશાપુરાનું 19મી સદીનું ભવ્ય તીર્થધામ છે. સૌરાષ્ટ્ર – ગુજરાત, મહારાષ્ટ્રમાંથી ભાવિકો પગપાળા, સાઇકલ દ્વારા વિશાળ સંખ્યામાં માતાજીના ગુણગાન ગાતા માં આશાપુર ઉપર અપાર શ્રધ્ધા અને વિશ્ર્વાસ સાથે ચરણ સ્પર્શ કરવા આવે છે. ભારતની 108 શક્તિ પીઠોમાં માતાના મઢની ગણના થાય છે.

રવિવારે કચ્છ રાજવી પરિવાર માં આશાપુરાને જાતર ચડાવશે

માં આશાપુરાનું મંદિર ઉપર બાવન ગજની ધજા છે. નિજ મંદિરમાં વિશાળ ઘંટ છે. મુખ્ય મંદિર 58 ફુટ લાબુ અને 32 ફુટ પહોળુ છે. માં આશાપુરા વિશાળ કદની 6 ફુટની મૂર્તિ છે. માં આશાપુરા મઢ ખાતે હોમાદિક ક્રિયાનું અતિ ભારે  મહત્વ છે. લાખો સંખ્યામાં માંની માનેલ માનતા અને શ્રધ્ધા આસ્થા સાથે ભાવિકો દર્શન કરવા આવે છે. ત્યારે રાત્રીના 08-00 કલાકે રાજાબાવા યોગેન્દ્રસિંહજીના અધ્યક્ષસ્થાને ગોર મહારાજ દેવકૃષ્ણ મુળશંકર જોષી હોમાદિક ક્રિયાનો પ્રારંભ થશે.

હોમાદિક ક્રિયા વિધિ સમયે દરેક દેવતાઓને આહવાન આપી ફળ, ફુલોથી હોમાદિક ક્રિયામાં  આહુતિ આપવામાં આવશે. આ સમયે ચંડીપાઠ, શ્ર્લોક, સંક્રાતિપાઠ, માંના ગરબા ગવાશે. આ સમયે વાતાવરણ ભક્તિમય બની જાય છે. મધ્યરાત્રિએ રાજાબાવાશ્રી યોગેન્દ્રસિંહજી રાત્રીના 12:15 કલાકે શ્રીફળ હોમશે. સમગ્ર વાતાવરણ માં આશાપુરાના નાદ સાથે ગુંજી ઉઠશે. તા.22 રવિવાર આસો સુદ આઠમના કચ્છ રાજવી  કચ્છ ભાયાતો દ્વારા સવારે માં આશાપુરાને જાતર ( પતરી ) ચડાવશે. કચ્છ રાજવી પરિવાર ચાચરા કુંડથી સામૈયા સાથે સવારી આવે છે. ત્યારે શરણવાદક આમદ ઓસમાણ લંગા, નોબતવાદક લતીફ હાસમ લંગા, જાગરીયા ડાક મુસ્લીમ પરિવાર દ્વારા વિધિ આવે છે. આ સમયે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જશે. માં આશાપુરા મંદિરમાં ભુવા દિલુભા ચૌહાણ તથા ગજુભા ચૌહાણ માતાજીને ધુપ સેવાપુજા કરે છે.

માં આશાપુરા ધામમાં નિજ મંદિરની અંદર હનુમાનજી, ગણેશજી, શંકર – પાર્વતી, ખેતરપાળ દાદા તેમજ ચાચર કુંડ પાસે માં ચાચરા ભવાની માતાજીનું મંદિર આવેલ છે. માં આશાપુરા મંદિર પાસે માં હિંગળાજ માંનુ ભવ્ય મંદિર આવેલ છે. ત્યાં પ્રકાશભાઇ છોટાલાલ પંડ્યા છેલ્લા ત્રણ પેઢીથી માતાજીની આરતી તેમજ સેવાપુજા કરે છે. તથા સ્થાનિક કક્ષાએ મયુરસિંહ જાડેજા સેવા આપે છે. આરતીનો સમય સવારના 5:00 કલાકે મંગળા આરતી. સવારે 9:00 કલાકે ધૂપ આરતી તેમજ સુર્યાસ્ત સમય મુજબ સંધ્યા આરતી થાય છે. માતાના મઢ જાગીર ટ્રસ્ટ સમગ્ર હોમાદિક ક્રિયા કરવામાં આવશે. રાજાબાવાશ્રી યોગેન્દ્રસિંહજી માં આશાપુરાને વંદનપૂર્વક પ્રાર્થના કરી સૌ દેશવાસીઓની મનોકામના માં આશાપુરા પૂર્ણ કરે તેવી વંદનપૂર્વક પ્રાર્થના કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.