Abtak Media Google News

સમસ્ત લેઉવા પટેલ સમાજના આસ્થાનું કેન્દ્ર ખોડલધામ મંદિર પર્યટન ધામ બની ગયું છે ત્યારે ગુજરાત રાજયના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા સહપરિવારમાં ખોડલને શિશ ઝુકાવવા કાગવડ આવ્યા હતા. કાગવડ ખાતે ખોડલધામ મંદિર પરિષરમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલે રાજયના ગૃહમંત્રીનું સ્વાગત કર્યું હતું.

નરેશભાઈએ ખોડલધામ ટ્રસ્ટે કરેલી કામગીરી અને મંદિર પરિષરમાં આવેલા અલગ અલગ વિભાગોની માહિતી આપી હતી અને આગામી દિવસોમાં ખોડલધામ ટ્રસ્ટ દ્વારા હાથ ધરવામાં આવનાર પ્રોજેકટ અંગે ચર્ચા કરી હતી. ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજામાં ખોડલના દર્શન કરી અભીભુત થયા હતા. ખાસ કરીને મંદિરમાં કરેલી કોતરણી કામ જોઈ ટ્રસ્ટે કરેલી કામગીરીને બિરદાવી હતી. ખોડલધામમાં ગૃહમંત્રીએ સહપરિવાર ભોજન પ્રસાદનો લાભ લીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.