Abtak Media Google News

બળાત્કાર ગુજારી લાકડીથી માર માર્યાનો ત્રણેય સામે નોંધાતો ગુનો

શહેરના 150 ફુટ રીંગ રોડ પર આવેલા ભવાનીનગરની પરિણીતા પર પતિએ પોતાના ભાઇ અને મિત્રને હાજર રાખી બળાત્કાર ગુજાર્યા બાદ લાકડીથી માર માર્યાની તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.

Advertisement

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભવાનગરમાં રહેતી પરિણીતા ગત તા.23મીએ  સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થઇ હતી ત્યારે ગત તા.20મીએ પોતાના પતિ ડાયા નાથા સોલંકી, રુડા નાથા સોલંકી અને ડાયાના મિત્ર છોટુએ લાકડીથી માર માર્યાનો આક્ષેપ કયો4 હતો પરંતુ પોલીસમાં ફરિયાદ નોંધાવી ન હતી.

દરમિયાન ગતરાતે પરિણીતાએ પોતાના પતિ ડાયા નાથા સોલંકીએ તેના બાઇ રુડા નાથા સોલંકી અને તેના મિત્ર છોટુભાઇની હાજરીમાં બળજબરીથી હોટલમાં લઇ જઇ બંનેની હાજરીમાં બળાત્કાર ગુજાર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસ મથકના પી.એસ.આઇ. પી.પી.ચાવડા સહિતના સ્ટાફે ડાયા નાથા સોલંકી, રુડા નાથા સોલંકી અને છોટુભાઇ સામે બળાત્કાર અને માર મારવા અંગેનો ગુનો નોંધી ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.