Abtak Media Google News

‘એક ભારત શ્રેષ્ઠ ભારત ઔર દેખો અપના દેશ અંતર્ગત’

ભારત ગૌરવ ટ્રેન 31 ઓક્ટોબરે રાજકોટ સ્ટેશનથી ઊપડશે: બુકિંગ શરૂ

ભારતીય રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશનની રીજીનલ ઓફિસ, અમદાવાદ દ્વારા ભારત સરકારની પહેલ “એક ભારત શ્રેષ્ઠ ભારત ઔર દેખો અપના દેશ” અંતર્ગત અને રેલ્વે  મંત્રાલયના સહયોગથી ગુજરાત રાજ્યમાં પ્રથમ ભારત ગૌરવ પ્રવાસી ટ્રેનની સફળતા પછી ફરી એકવાર ભારત ગૌરવ ટ્રેન પુરી ગંગાસાગર સાથે દિવ્યકાશી-અયોધ્યા-પ્રયાગરાજ દર્શનયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેનું બુકિંગ શરૂ થઈ ગયું છે.

ભારત ગૌરવ ટ્રેન દ્વારા પુરી ગંગાસાગર સાથે દિવ્યકાશી-અયોધ્યા-પ્રયાગરાજ દર્શન યાત્રા પ્રવાસી ટ્રેનની મુસાફરી 31 ઓક્ટોબરના રોજ રાજકોટ સ્ટેશનથી ઉપડશે અને 10 નવેમ્બર 2023ના રોજ રાજકોટ પરત ફરશે. આ મુસાફરી 11 દિવસની હશે. આ ટૂર પેકેજ માં  2એસી કમ્ફર્ટ ક્લાસ માટે રૂ.42500/-, 3એસી કમ્ફર્ટ ક્લાસ માટે રૂ.35000/- અને ઇકોનોમી/સ્લીપર ક્લાસ નોન-એસી માટે રૂ. 21500/- નો દર રાખવા માં આવેલ છે. આ ટ્રેનમાં જોડાનાર મુસાફરો રાજકોટ-સુરેન્દ્રનગર-સાબરમતી-નડિયાદ-આણંદ- વડોદરા અને સુરત સ્ટેશનો પરથી ચઢી શકશે તથા સંત હિરદારામ નગર (ભોપાલ) -રતલામ- છાયાપુરી( વડોદરા)- આણંદ-નડિયાદ- સાબરમતી-સુરેન્દ્રનગર- રાજકોટ ઉતરી શકશે અને આ પ્રવાસમાં મુસાફરોને પુરી-ગંગાસાગર-વારાણસી-પ્રયાગરાજ-અયોધ્યા-છપૈયાના દર્શન કરવાનો લાભ મળશે.

Screenshot 3 19

આ પેકેજમાં ટ્રેનની ટિકિટ, ભોજન (ચા-નાસ્તો, લંચ અને ડિનર), રોડ ટ્રાન્સપોર્ટ માટે બસની વ્યવસ્થા અને ઇકોનોમી ક્લાસમાં નોન-એસી આવાસ અને નોન-એસી બસ ની વ્યવસ્થા અને 2એસી કમ્ફર્ટ ક્લાસ તથા 3એસી કમ્ફર્ટ ક્લાસમાં એસી આવાસ રાત્રિ આરામઅને એસી બસ ની વ્યવસ્થાતથા ટૂર એસ્કોર્ટ, કોચ સિક્યુરિટી ગાર્ડ અને હાઉસ કીપિંગ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. વધુ વિગતો અને બુકિંગ માટે ૂૂૂ. શભિભિંજ્ઞિીંશિતળ. ભજ્ઞળ પર લોગ ઈન કરો અથવા 079-29724433,9321901849, 9321901851, 9321901852, 8287931627 પર સંપર્ક કરો.

આ ઉપરાંત મુસાફરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ ખાતે આઇઆરસીટીસી ઓફિસો અને અધિકૃત એજન્ટો દ્વારા પણ બુકિંગ કરાવી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.