Abtak Media Google News

ક્રિકેટ

Advertisement

ભારતમાં ચાલી રહેલા ક્રિકેટ વર્લ્ડ કપ વચ્ચે ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. વાત જાણે એમ છે કે, હાર્દિક પંડ્યા ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. આ તરફ હવે હાર્દિક પંડ્યાની જગ્યાએ પ્રસિદ્ધ કૃષ્ણને ટીમ ઈન્ડિયાની ટીમમાં સામેલ કરવામાં આવશે.નોંધનીય છે કે, વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામેની મેચમાં તે ઈજાગ્રસ્ત થયો હતો. તે મેચમાં પણ તે માત્ર ત્રણ બોલ જ ફેંકી શક્યો હતો. આ પછી ટીમ ઈન્ડિયા છેલ્લી ત્રણ મેચમાં તેના વિના રમી છે.

Prasidhdhkrishna

હાર્દિકને પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી અને તે પુનર્વસન માટે બેંગ્લોરની નેશનલ ક્રિકેટ એકેડમીમાં હતો.ભારતે હાલમાં લીગ રાઉન્ડમાં વધુ બે મેચ રમવાની છે. ટીમ ઈન્ડિયાનો સામનો 5 નવેમ્બરે દક્ષિણ આફ્રિકા અને 12 નવેમ્બરે નેધરલેન્ડ સામે થશે. ભારતીય ટીમ પણ સેમીફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ ગઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.