Abtak Media Google News

સરકારે ચેક બાઉન્સ થવાની દિશામાં ચેક રજૂ કરવાવાળાને જવાબદેહ બનાવવાની ઇચ્છાથી નિગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ (સંશોધન) વિધેયક, 2017ને આજે ધ્વનિમતથી પસાર કરી દીધો.નાણાંકીય રાજ્યમંત્રી શિવ પ્રતાપ શુક્લએ વિધેયક પર થયેલી ચર્ચાનો જવાબ આપતા કહ્યું કે ચેક બાઉન્સ થવા પર સજાની જોગવાઇ છે પરંતુ આ પ્રકારનાં મામલાઓમાં અપીલ કરવાની જોગવાઇને કારણ લંબિત મામલાની સંખ્યા તેજીથી વધી રહેલ છે. આનાંથી ચેકની વિશ્વસનીયતા ઓછી થઇ રહી છે અને અસુવિધાઓ વધી રહી છે.

શું છે નવી જોગવાઇઓ?

નવી જોગવાઇ અંતર્ગત ફરિયાદ કરવાવાળાને તુરંત ન્યાય મળશે.
મામલાની ફરિયાદ કરવાવાળા માટે 20 ટકા વચગાળાની રકમ વળતરનાં રૂપમાં આપવાની જોગવાઇ કરવામાં આવી છે.

પરંતુ જો મામલો અપીલય કોર્ટમાં જાય છે તો 20 ટકા હજી વધારે રકમ ન્યાયાલયમાં જમા કરાવવાની રહેશે. ચેક રજૂ કરવાવાળાને 20 ટકા દંડ પર વ્યાજ પણ આપવું પડશે.

આ મામલામાં ન્યાયાલય ઇચ્છે તો દંડની રકમ 100 ટકા પણ કરી શકે છે. નાણાંકીય રાજ્યમંત્રીએ કહ્યું કે ચેકનાં અનાદર પર સમય-સમય પર સરકારને વિભિન્ન પક્ષો તરફથી આવેદન પ્રાપ્ત થયેલ છે.

વિધેયકને આધારે અધિનિયમમાં કલમ 143 (ક)નું સમાવેશન કરવામાં આવેલ છે કે જેમાં અપીલ કરવાવાળા પક્ષને વ્યાજ દેવાની જોગવાઇ છે. કલમ 138 અંતર્ગત કોર્ટમાં કેસ ચાલવા પર પીડિત પક્ષને 60 દિવસની અંદર 20 ટકા વચગાળાની રકમ આપવાની વ્યવસ્થા છે.

મોટી રકમ હોવી અને બે ભાગમાં ચૂકવણી કરવાની દિશામાં આ સમયને 30 દિવસ સુધી વધારી શકાશે.
આ જ પ્રકારમાં કલમ 148માં સંશોધન કરીને કોર્ટને ચેક રજૂ કરવાવાળા પર દંડ લગાવવાનો અધિકાર આપવામાં આવેલ છે.

શિવ પ્રતાપ શુક્લએ કહ્યું કે આ વિધેયકથી ચેકનાં અસ્વીકૃત થવાંની સમસ્યાનું સમાધાન થઇ શકશે. વિધેયકમાં આવી જોગવાઇ કરવામાં આવેલ છે કે જેનાંથી ચેક બાઉન્સ થવાંને કારણ જેટલાં પ્રકારનાં વિવાદ ઉભા થાય છે તે દરેકનું સમાધાન આ જ કાયદામાં થઇ જાય. આનાંથી ચેકની વિશ્વસનીયતા વધશે અને સામાન્ય કારોબારી સુગમતમાં પણ નફો થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.