Abtak Media Google News

યુવતીને છાતીનો દુ:ખાવો ઉપડતા હોસ્પિટલના સ્થાને ધાર્મિક સ્થળે લઈ જવાતા મૃત્યુ પામી

21 મી સદીમાં માનવીની માનસિકતા , વાણી – વર્તન – વ્યવહારમાં અંધશ્રદ્ધા અજ્ઞાનતા જોવા મળે ત્યારે જરૂર આશ્ચર્ય થાય તેવો બનાવ રાજકોટમાં 20 વર્ષની યુવતીને અસહ્ય છાતીનો દુ:ખાવો ઉપડતા બિમારી દૂર કરવા ધાર્મિક સ્થાને લઈ જવામાં આવી . મેડિકલ સારવારમાં મોડું થવાના કારણે યુવતીનું દર્દનાક મોતનો કિસ્સો બહાર આવ્યો તેની જાત માહિતી મેળવવા ભારત જન વિજ્ઞાન જાથાની ટીમ રૂબરૂ જવાથી તારણમાં અજ્ઞાનતા , અંધશ્રદ્ધા , જુની માન્યતાનું વરવું સ્વરૂપ જોવા મળ્યું હતું . યુતિના મોતના કારણમાં પરિવાર જવાબદાર હોવાનું ખુલ્યું હતું . ભવિષ્યમાં આવા બનાવોનું પુનરાવર્તન ન થાય તે માટે જાથાએ પરિવારને સાંત્વના સાથે સમજ આપી હતી .

બનાવની વિગતમાં રાજકોટ માધાપરચોકડીની આગળ દ્વારકાધીશ પેટ્રોલ પંપની સામેની શેરીમાં વસવાટ કરતાં ગોપાલભાઈ બચુભાઈ બજાણીયાની મોટી દિકરી લક્ષ્મીને ઘણા સમયથી છાતીમાં દુ:ખાવો થતો હતો . માનતા વિગેરે દેશી ઉપચાર કરવામાં આવ્યો હતો . એકાએક છાતીમાં દુ:ખાવો વધવાથી પિતાને બોાલવી વાત કરતાં લક્ષ્મીએ ધાર્મિક સ્થાને દર્શને લઈ જવાનું કહેતા રાજકોટથી 70 કિલોમીટરે લઈ જવામાં આવી હતી . આસ્થા મુજબ વિધિનો સામાન સાથે રોડ સુધી રાલીને લઈ જવામાં આવી . ત્યાર બાદ વાહનમાં શ્રદ્ધા સ્થળે ગયા હતા . યુતીને વાસ્તવમાં હૃદય રોગનો હુમલો આવી ગયો હતો . બાદ બિમારી દૂર કરવા ધાર્મિક સ્થળે ગયા હતા . યુવતીને અસહ્ય દુ:ખાવો વચ્ચે રાજકોટ પરત આવ્યા હતા .

ઘરે આવીને યુવતીએ થાકના કારણે સુઈ જવાનો આગ્રહ કર્યો તે પથારીમાં સુઈ તે આખરી મંજિલ સાબિત થઈ હતી . યુવતીનું હલનચલન ન થવાથી માતાએ બધાને વાત કરતાં એમ્બ્યુલન્સ આવી ડોકટરે તપાસતા મોત હોવાનું દુનિયાને અલવિદા કરી દીધી છે તેવું કથન કર્યું હતું . પરિવાર હતપ્રત થઈ ગયો ત્યારે દવાખાને લઈ ‘ વાનું ભાન થયું તે વખતે ઘણું મોડું થઈ ગયું હતું . મેડિકલ સારવાર મોડી થવાથી દિકરી મોતન ભેટી છે તેવો બધાને અહેસાસ થયો હતો . છાતીના દુ:ખાવા પછી 4 કલાક પછી મંદિરેથી પરત આવ્યા હતા .

પથારીમાં સુવા મ સાથે અંતિમ શ્વાસ દિકરીએ લઈ લીધા હતા . મંદિરે લઈ જવાથી સારુ થઈ જવાની ભ્રમણામાં પરિવારે શિક્ષિત યુવાન દિકરીને ખોઈ દીધી હતી . દવાખાનાના બદલે મંદિરે લઈ જવાની વાતો વાયુવેગે પ્રસરતા સગાસંબંધીઓ દોડી આવ્યા હતા . પ્રચાર માધ્યમોને ખબર પડતા ગોપાલભાઈ બજાણીયા પાસે માહિતી મેળવતા અંધશ્રદ્ધાના કારણે યુવતીનું મોત થયું તેની વિગત બહાર આવી હતી.

જાથાના જયંત પંડયાએ પરિવાર સામે ચોખવટ કરી આવા બનાવોનું પુનરાવર્તન ન થાય , બિમા 2ી વખતે મેડીકલ સારવાર લેવી જોઈએ . હાજર સૌ કોઈને જાગૃત કરી બનાવની ભૂલ સંબંધી અવગત કર્યા હતા . ગોપાલભાઈ કેબીન ધરાવે છે , ચાર સંતાન છે . સારવારના અભાવે દિકરી ગુમાવી દીધી . હવે ત્રણ સંતાનો છે . અભણ – અજ્ઞાનતા જોવા મળતી હતી . જાથાએ તેમના ઘરે જ પરિવાર મોત માટે જવાબદાર છે તેવું જાહેર કરી દીધું હતું . જાથાના કાર્યાલય મંત્રી અંકલેશ ગોહિલે ઉત્કૃષ્ઠ કામગીરી બજાવી હતી . કાર્યકર્તાઓ સ્વરક્ષણ સંબંધી શેરીમાં ગોઠવાઈ ગયા હતા . બજાણીયા પરિવારે પુરતો સહયોગ આપ્યો હતો .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.