Abtak Media Google News

ધારાસભ્ય અને દલીત નેતા જીજ્ઞેશ મેવાણીએ ચીમકી આપતા જણાવ્યું હતું કે ગેરકાયદેસર દારુના હાટડા બંધ થવા જોઇએ નહીંતર ઉગ્ર આંદોલન માટે તૈયાર રહેજો.

Advertisement

ટેકેદારો સાથે મેવાણીએ ગોમતીપુર પોલીસ સ્ટેશને જઇને આ વિસ્તારમાં ગેરકાયદે ચાલતા દારુના હાટડા અંગે રજુઆત કરી હતી. તેણે ચીમકી આપતા જણાવ્યું હતું કે ગાંધીના ગુજરાતમાં પૂર્ણ દા‚બંધી છે ત્યારે દારુના હાટડા એક જ દીમાં બંધ નહીં કરાવાય તો આંદોલન ઝીલવા માટે તૈયાર રહેજો.

મેવાણીએ ટેકેદારો સાથે રોડ શો કર્યો હતો. ઉલ્લેખનીય તેમણે ગોમતીપુર અને રાયપુરમાં ૧પ૦ થી ૨૦૦ હાટડામાં ૧પ૦ થી ર૦૦ કરોડનો દારુ વેચાતો હોવાનો આક્ષેપ કર્યો હતો.

તેમણે આ બંધ કરાવવા ર૪ કલાકનું અલ્ટીમેટમ સતાધીશોને આપ્યું છે અથવા આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.