Abtak Media Google News

અમદાવાદ: શહેરના ઈસ્કોન બ્રિજ પર તથ્ય પટેલે 19મી જુલાઈની રાત્રે સર્જેલા અકસ્માતમાં 9 લોકોને જીવતા કચડી નાખ્યા હતા. આ ગોઝારી ઘટનાએ માત્ર અમદાવાદ નહીં પરંતુ આખા ગુજરાતને હચમચાવી નાખ્યું હતું. મોડી રાત્રે બનેલી એક અકસ્તમાની ઘટનામાં લોકો ટોળો વળ્યા હતા અને પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે 140 કરતા વધુ ગતિમાં જેગુઆર કાર લઈને આવેલા તથ્યએ લોકોને કચડી નાખ્યા હતા.

હાલ… ૯ લોકોનો ભોગ લેનાર તથ્યની ગ્રામ્ય કોર્ટમાં અરજી કરી છે.જેમાં જાણવા મળ્યું છે કે જેલનું જમવાનું ન ભાવતું હોવાથી બહારથી ટિફિન લાવવા માંગ કરી છે અને અભ્યાસ પૂરો કરવો હોવાથી બૂક લાવવા દેવા કોર્ટમાં માંગ કરી છે અને ટિફિન લઈને આવનારને મળવા દેવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે.

આ સમગ્ર મુદ્દે કોર્ટમાં સુનાવણી ૯ ઓગસ્ટે હાથ ધરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.