Abtak Media Google News

મારી એકની નહીં અન્ય દર્દીઓની સારવારમાં ઘ્યાન આપો: કુમારભાઇ ઠાકરે

સંઘના પ્રચારક અને ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અઘ્યક્ષના પિતરાઇ ભાઇ સીવીલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. સીવીલ હોસ્પિટલ તંત્ર દ્વારા વૃઘ્ધની સારવાર અર્થે તાકીદે વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે સારવાર લઇ રહેલા વૃઘ્ધની સંઘના આગેવાનો ખબર અંતર પૂછવા હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અઘ્યક્ષ કુશાભાઇ ઠાકરેના પિતરાઇ ભાઇ કુમારભાઇ દ્વારકાનાથભાઇ ઠાકરે વૃઘ્ધાવસ્યામાં બીમારીમાં સપડાયા બાદ છેલ્લા પાંચેક દિવસથી સીવીલ હોસ્પિટલના બિછાને સારવાર મેળવી રહ્યા છે.

વૃઘ્ધ કુમારભાઇ સંઘના પ્રચારક હોવાની જાણ થતાં જ મેડીકલ કોલેજના ડીન ડો. યોગેશ ગૌસ્વામી અને સીવીલ સર્જન ડો. મનીષ મહેતા વોર્ડ નં.૭ ના સારવાર મેળવે રહેલા કુમારભાઇ ઠાકરે પાસે દોડી ગયા હતા. કુમારભાઇ ઠાકરે માટે વોર્ડ નં.૭ માં અલગ રુમની વ્યવસ્થા ગોઠવી આપી હતી. આ સમયે કુમારભાઇ ઠાકરે મારી એકની નહી અન્ય દર્દીઓની સારવારમા ઘ્યાન આપો તેમ કહી પોતાની સેવાકીય લાગણી વ્યકત કરી હતી સંઘના આગેવાનો કુમારભાઇ ઠાકરેના ખબર અંતર પુછવા પણ દોડી આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.