Abtak Media Google News

ન્યાય માટે વલખાં મારતા પરિવારજનો હવેતો સરકારનો જ આશરો

અમરેલી શનતાબા જનરલ હોસ્પિટલમાં થોડા દિવસો પહેલા જ મોતિયા કાંડ સર્જાયો હતો કેટલાક દર્દીઓને ઓપરેશન પછી આંખો ચાલી ગઈ છે જે આજે પણ અમદાવાદ હોસ્પિટલ ની સારવાર નિયમિત કરાવે છે છતાં પણ કાઈ ફરક પડ્યો નથી જેને લઇ આજે ફરીવાર દર્દીઓ સાથે મહેશ દાફડા અમરેલી શનતબા જનરલ હોસ્પિટલ પહોંચ્યા હતા પણ જાણે માણસની કાઈ કિંમત જ ના હોય તેમ કોઈ પણ લોકો જવાબ આપવા તૈયાર નથી. જાણવા મળતી માહિતી મુજબ હાલ સુપ્રિટેન્ડેન્ટ ડો.જીતિયાં રજા ઉપર છે

Advertisement

આજે દર્દીઓના પરિજનો હોસ્પિટલ આવી સરકાર દ્વારા શું જવાબ મળ્યો તે જાણવા માટે આમતેમ આટા ફેરા કરતા રહ્યા પરંતુ કોઈ કાઈ કહેવા પણ તૈયાર નથી તેવું જણાવી રહ્યા હતા જો આગામી દિવસોમાં સત્વરે ન્યાય નહિ મળેતો કોર્ટના દરવાજા ખખડાવવા પણ તૈયારી છે તેવું પરિજનો એ જણાવ્યું હતું સાથે સાથે જણાવતા કહ્યું હતું કે હવે તો સરકાર જ ન્યાય અપાવે તેવી માંગ છે……

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.