Abtak Media Google News

બિપરજોય વાવાઝોડાના પગલે કચ્છ જિલ્લામાં અસરગ્રસ્ત તાલુકાઓમાં આવશ્યક સેવાઓને પૂર્વવત કરવા વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રીસ્ટોરેશન કામગીરી કરવામાં આવી રહી છે.ે ભુજ ખાતે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ તથા પ્રભારી મંત્રી  પ્રફુલભાઈ પાનશેરીયાએ વીજ રીસ્ટોરેશની કામગીરીની સમીક્ષા કરી હતી.

Advertisement

 

કચ્છના મુખ્ય મથક ભુજ ખાતેે કોમર્સ કોલેજ તથા ખારી નદી રોડ ખાતે ગેટકો અને  પીજીવીસીએલના કર્મયોગીઓ દ્વારા ચાલતી કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપી હતી. તેમજ સંબંધિત અધિકારીશ્રીઓને તત્કાલ રહેણાંક વિસ્તારોમાં પ્રાથમિકતાના ધોરણે વીજ પુરવઠો પુન:સ્થાપિત કરવા જણાવ્યું હતું.

 

સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ ,પ્રભારી સચિવ હર્ષદભાઈ પટેલ, પીજીવીસીએલના એમ.ડી ી પ્રીતિ શર્મા તથા સંબંધિત અધિકારીઓ જોડાયા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.