Abtak Media Google News

ગોંડલ અને જૂનાગઢ તાલુકાના સ્વયંસેવકોએ તહેવારની રજા માળવાના બદલે ભાવિકોની સેવા કરી: પૂનમે માતાજીના દર્શન કરવા વિશેષ વ્યવસથા.

ખોડલધામ મંદિરમાં માતાજીના દર્શન કરવા માટે હોળી અને ધુળેટીના પર્વની જાહેર રજા હોવાી અંદાજે ૬ લાખી વધુ ભાવિકો ઉમટી પડયા હતા. ખોડલધામમાં આવેલા ભાવિકોને કોઈ અગવડતા ન પડે તેની વ્યવસમાં રહ્યાં હતા. ખોડલધામમાં દર પૂનમે માતાજીના દર્શન કરવાનો અનેરો લાભ ભાવિકો લઈ રહ્યાં છે અને પૂજારી દ્વારા દર પૂનમે માતાજીના વિશેષ દર્શનની વ્યવસ પણ કરવામાં આવી રહી છે.

રવિવારે હોળીના દિવસે પૂનમ હોવાી માતાજીના દર્શનનું અને‚ મહત્વ હોય છે. સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજયમાંી હોળીના દિવસે અંદાજે અઢી ી ત્રણ લાખ લોકો દર્શન કરવા માટે ઉમટી પડયા હતા. જયારે ધુળેટીના દિવસે અંદાજે ત્રણ લાખી વધુ લોકો માતાજીના દર્શન કરવા માટે ઉમટી પડયા હતા. હોળીના દિવસે માતાજીને વિશેષ શણગાર કરવામાં આવ્યા હતા. જેના દર્શન કરીને ભાવિકો ધન્યા બન્યા હતા.કાગવડ ખોડલધામ કેમ્પસ ટ્રસ્ટી ગોપાલભાઈ ‚પાપરાએ જણાવ્યું હતું કે, જયારી ખોડલધામ દર્શન માટે ખુલ્લુ મુકાયું છે. ત્યારી જાહેર રજા હોય કે પછી રવિવાર કે બુધવારે હજારોની સંખ્યામાં ભાવિકો ખોડલધામ દર્શન કરવા માટે આવે છે. ત્યારે આ વખતે રવિવાર અને સોમવારે જાહેર રજા હોવાી અને ખાસ કરીને પર્વ હોય મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે તેવી પહેલેી જ સંભાવના હતી તેી અમે ગોંડલ અને જૂનાગઢના સ્વયંસેવકોની મોટી ટીમ ખડેપગે રાખી હતી. આ બન્ને દિવસે ખોડલધામ કેમ્પસમાં આવેલા ત્રણેય પાર્કિંગ ફૂલ ઈ જતા આસપાસના અન્ય સ્ળોએ ભાવિકોને વાહન પાર્કિંગ કરવાની ફરજ પડી હતી. નેશનલ હાઈવેથી કાગવડ ગામ થઈને ખોડલધામ સુધી પહોંચવાના રસ્તા ઉપર ટ્રાફિકજામની સ્થિતિ ઉભી થતા મહોત્સવ દરમિયાન ટોલનાકા પાસેનો ગણેશ મંદિર થઈને મંદિર પરિસર સુધી પહોંચવાના વી.આઈ.પી રસ્તાને જાહેર જનતા માટે ખોલી દેવામાં આવ્યો હતો. બે દિવસના અંદાજે ૬ લાખથી વધુ ભાવિકોએ ર્માં ખોડલના દર્શનનો લાભ લીધો હતો. ખોડલધામ કેમ્પમાં જ ૨૫ એકરમાં વિશાળ શકિતવન અને બાલક્રિડાંગણ આવેલું છે. હોળી અને ધુળેટીના પર્વ નિમિતે આવેલા મોટાભાગના ભાવિકોએ ત્યાં વન ભોજનનો આનંદ લીધો હતો અને બાળકોએ બાલક્રિડાંગણમાં રજાની મોજ માણી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.