Abtak Media Google News
  • ધોરાજીમાં કાર ચાલકે રીક્ષાને હડફેટે લેતા એકનું મોતઃ ત્રણને ગંભીર ઈજા
  • કાર ચાલક પોતાની ગાડી મૂકીને નાસી ગયો પોલીસે તપાસ હાથ ધરી

ધોરાજી ન્યૂઝ : સમગ્ર ગુજરાતમાં હીટ એન્ડ રનની ઘટનાઓ રોજેરોજ બનતી જાય છે અમદાવાદની ઘટનાની શાહી સુકાણી નથી ત્યાં ધોરાજીના માતાવાડી રોડ ઉપર સાંજના સમયે થાર ચાલકે રીક્ષાને હડફેટે લેતા એક યુવાનનું ઘટના સ્થળે મોત થયું હતું અને ત્રણને ઇજા પહોંચી હતી પોલીસે તપાસ હાથ કરી છે.

ધોરાજીના પોલીસ ઇન્સ્પેક્ટર રવિ ગોધમ એ માહિતી આપતા જણાવેલ કે ધોરાજીના સરદાર પટેલ ચોક માતાવાડી વિસ્તારથી જીન મિલ રોડ ઉપર અજાણ્યો થાર ચાલકે સામેથી આવી રહેલ રીક્ષા ચાલકને હડફેટે લેતા રીક્ષા ઘટના સ્થળે ઊંધી વળતા રીક્ષામાં કુલ ચાર વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી . જેમાંથી જુબેર ઈસ્માઈલભાઈ લુણાગરિયા રહે ધોરાજી આવેડા ચોક વાળાને ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ મોત નીપજેલું હતું.

જ્યારે રહીશ અમીનભાઈ પટેલ (રીક્ષા ચાલક) તેમજ જય કિશન કનૈયાલાલ તેમજ કનૈયાલાલ સાધુરામ રહે જમનાવડ રોડ ધોરાજી કુલ ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક ધોરાજી ૧૦૮ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ હતા ઈજા ગ્રસ્તો ની તબિયત સુધારાઓ પણ છે તેવું તબીબો એ જણાવયુ હતું.

ઉપરોક્ત ઘટનાથી થાર ચાલક પોતાની લાલ કલરની ગાડીને સ્થળ ઉપર છોડીને નાસી ગયો હતો.ઉપરોક્ત ઘટનાની સમાચાર મળતા ધોરાજીના ઇન્સ્પેક્ટર રવિ ગોધમ તેમજ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો તેમજ સ્થળ પંચનામું કરીને વિશેષ તપાસ હાથ ધરી છે અને આરોપીને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

કૌશલ સોલંકી

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.