Abtak Media Google News

જગતમંદિરમાં હાટડી દર્શન અને નૂતનવર્ષના અન્નકુટના દર્શનનો  ભાવિકોએ લાભ લીધો

શ્રીકૃષ્ણ ભગવાનની કર્મભૂમિ પાવન નગરી દ્વારકામાં દિવાળીના તહેવારો દરમ્યાન મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડેલ અને દિપાવલીના શુભ દિને ભગવાન શ્રી દ્વારકાધીશના જગતમંદિરમાં યોજાયેલ હાટડી દર્શન તથા નૂતન વર્ષના દિવસે યોજાયેલ અન્નકુટ ઉત્સવ મનોરથનો મોટી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધેલ. દિવાળીના તહેવારો દરમ્યાન રાજાધિરાજને વિવિધ વસ્ત્રો, પરીધાન, અલંકારો અને ઝવેરાતોથી નવાજવામાં આવેલ હતા.2 28આ અલૌકિક દર્શન મનોરથની ઝાંખી માત્રથી જ મનુષ્યના સર્વ પાપોનો નાશ થાય છે. આ સુંદર અને નયનરમ્ય દર્શન મનોરથનો ખુબ જ મોટી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો.દિવાળીના તહેવારો દરમ્યાન ભગવાન શ્રી દ્વારકાધીશના જગતમંદિરને લાઈટીંગ ડેકોરેશનની રોશનીથી સુશોભિત કરવામાં આવ્યું હતું.

Advertisement

ભાઈબીજના પવિત્ર દિને ગોમતી સ્નાનનું અનેરું મહત્વ

ચારધામોમાં એક ધામ એવા દ્વારકાધામમાં પવિત્ર ગોમતી નદીમાં આજના ભાઈબીજના દિવસે હજારો શ્રદ્ધાળુઓએ પવિત્ર સ્નાનનો લાભ લીધેલ. લોકવાયકા પ્રમાણે આજના દિને યમુનાજીના ભાઈ એવા યમરાજને આજના દિને યમુનાજીએ ભોજન માટે આમંત્ર્યા હતા.

બહેનનું આમંત્રણ સ્વિકારી યમરાજે આજના શુભદિને સોનાની દ્વારકામાં આવી તેમના હાથે ભોજન આરોગ્યું હતું અને આશીર્વાદ આપ્યા હતા કે જે કોઈ આજના દિને પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કરી દિપદાન કરશે તેમને યમરાજા કયારેય પણ નડતરરૂપ થશે નહીં. આથી નગરની દરેક ગૃહિણી દ્વારા આજના દિને સાંજના સમયે ગોમતી નદીમાં પવિત્ર દિપ તરાવવાનું પણ અનેરું મહત્વ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.