Abtak Media Google News

વાસણના વેપારી પર તેના જ કૌટુંબિક ભાઈઓએ કર્યો હુમલો

શહેરમાં આવેલી કંસારા બજારમાં વડીલો પાર્જીત મિલકત પ્રશ્ને વેપારી યુવાન ઉપર ત્રણ શખ્સોએ હાંડા વડે હુમલો કર્યો હતો. હુમલા ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ એરપોર્ટ રોડ ઉપર આવેલા મારુતિનગરમાં રહેતા આશિષ રસિકલાલ શેઠ નામનો 35 વર્ષનો યુવાન રાત્રિના નવેક વાગ્યાના અરસામાં કંસારા બજાર પાછળ ગઢની રાંગ વાળી શેરીમાં હતો. ત્યારે દિલીપ શેઠ, હિતેશ શેઠ અને રજની શેઠ નામના શખ્સોએ સ્ટીલના હાંડા ઝીકી ઢીકા પાટુનો માર માર્યો હતો.

આ હુમલામાં ઘવાયેલા વેપારી યુવકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે એ ડિવિઝન પોલીસને જાણ કરતા એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આશિષ શેઠ કંસારા બજારમાં પોતાની વાસણની દુકાન ધરાવે છે અને વારસાઈ મિલકતના પ્રશ્ને ચાલતી અદાવતનો ખાર રાખી કૌટુંબિક ભાઈઓએ હુમલો કરી માર માર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે એ ડીવિઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.