કાશ્મીરના પુલવામાં ફરજ બજાવતા દેશના સૈનિકો ઉપર જે ૬ આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો તે ઘટનાના વિરોધમાં ભાયાવદર નગરપાલિકા દ્વારા ગઈરાત્રે શહિદ વિરોને શ્રદ્ધાંજલી આપવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. ગતરાત્રે ભાયાવદર શહેરના સ્ટેન્ડ ચોકમાં નગરપાલિકાના પ્રમુખ રેખાબેન પટેલ, કારોબારીના ચેરમેન નયન જીવાણીની આગેવાનીમાં વેપારીઓ, ખેડુતો, યુવાનો તમામ સમાજના લોકો હાજર રહી શહિદ જવાનોને શ્રદ્ધાંજલી આપવા કેન્ડલ પ્રગટાવી પાકિસ્તાન મુદાબાદ, ભારત જીદાબાદના નારા લગાવ્યા હતા. બે દિવસ પહેલા આતંકીઓ દ્વારા હુમલાના ઘેરા પડઘા તાલુકાના ભાયાવદર, પાનેલી, કોલકી, ઢાંક સહિતના ગામોમાં પડયા છે. ઠેર–ઠેર પાકિસ્તાન વિરુઘ્ધ નારા લાગી રહ્યા છે. લોકોની માંગણી છેકે પાકિસ્તાન વિરુઘ્ધ યુદ્ધ જેવી સખ્ત કાર્યવાહી કરવી જોઈએ.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ