Abtak Media Google News

સુરેન્દ્રનગર મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલના મુખ્ય જિલ્લા તબીબી અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં  જણાવ્યા પ્રમાણે સુરેન્દ્રનગર શહેરના વતની  શાંતિલાલ રતિલાલ રાજદેવ અને હર્ષીદાબેન શાંતિલાલ તેમજ  પાટડીના વતની અરજણભાઈ મેરૂભાઈ ઠાકોરને ગત દિવસોમાં કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સુરેન્દ્રનગર સ્થિત કોવિડ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા.

જે અન્વયે મહાત્મા ગાંધી કોવીડ હોસ્પિટલ – સુરેન્દ્રનગર ખાતે તેમની સઘન સારવાર બાદ આ ત્રણેય દર્દીઓને તાવ, શરદી, ખાંસી જેવા કોઇ લક્ષણો ન જણાતા તા. ૫ ઓગસ્ટ -૨૦૨૦ ના રોજ કોવિડ હોસ્પિટલ- સુરેન્દ્રનગરમાંથી રજા આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.