Abtak Media Google News

વ્યાજ અને રકમ ચૂકવી આપ્યા બાદ વધુ રકમ પડાવવા મકાનમાં ઘુસી આચર્યું કૃત્ય

સુરેન્દ્રનગર શહેરનાં વિવેકાનંદમાં રહેતા વિપ્ર બિલ્ડરનાં ઘરમાં બે વ્યાજખોર શખ્સો ઉઘરાણીના મુદે બિલ્ડરને મારમારી દંપતિને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસમાં બે શખ્સો સામે ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

વધુ વિગત મુજબ સુરેન્દ્રનગર જૂના જંકશન રોડ પર આવેલા વિવેકાનંદમાં રહેતા વિશાલ મહેશભાઈ દવે નામના વિપ્ર બિલ્ડરે સુરેન્દ્રનગર ખાતે રહેતા જયુભા રણજીતસિંહ ઝાલા અને રવિન્દ્રસિંહ કરણસિંહ જાડેજા નામના વ્યાજખોર શખ્સોએ

ઘરમાં ઘુસી બળજબરીથી ઉઘરાણીનાં મુદે મારમાર્યાની ફરિયાદ નોંધાવી છે. પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ફરિયાદીના ભાઈ દર્શનભાઈએ જયુભા ઝાલા પાસેથી રૂ.૭ લાખ વ્યાજે લીધેલા જે પેટે વ્યાજ અને રકમ આપી દીધા બાદ જયુભા રાણા પાસે ચેક અને લખાણ હોવાથી વધુ પૈસા પડાવવાના ઈરાદે જયુભા ઝાલા અને રવિન્દ્રસિંહ જાડેજા ઘરમાં ઘુસી બળજબરીથી ઘરમાં ઘુસી બિલ્ડરને મારમારી અને તેના માતા પિતાને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે ગુનોનોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.