Abtak Media Google News
  • રોહિત – શુભમનની સૂઝબૂઝ ભરી બેટિંગ : જયસ્વાલે ફટકારી અડધી સદી

ધર્મશાળા ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ સિરીઝનો છેલ્લો મેચ રમાઈ રહ્યો છે તેમાં ઇંગ્લેન્ડ એ પ્રથમ ટોચ જીતી બેટિંગ કરવાનું નક્કી કર્યું હતું પરંતુ ક્યાંક ને ક્યાંક આ નિર્ણય તેમ માટે ખોટો સાબિત થયો હતો. બીજી તરફ ભારતીય બોલરોની ભુજ અને ચુસ્ત બોલિંગ ની સામે ઇંગ્લેન્ડની ટીમ પ્રથમ ઈનિંગમાં માત્ર 218 રન જ બનાવી સકી હતી. જેમાં કુલદીપ યાદવ 5 વિકેટ, રવિચંદ્રન અશ્વિન 4 વિકેટ અને જાડેજાએ 1 વિકેટ ઝડપી હતી. પ્રથમ મિનિંગમાં ભારતીય ફાસ્ટ બોલરોને એક પણ વિકેટ મળી ન હતી જ્યારે સંપૂર્ણ 10 વિકેટ સ્પીનોરોના હાથે જ લાગી હતી.

જંગી લીડ આપવા મેદાને ઉતરેલી ભારતીય ટીમ એ શસ્વી જયસ્વાલના રૂપમાં પ્રથમ વિકેટ ગુમાવી હતી જેને અડધી સદી નોંધાવી તેમને મજબૂતી આપી હતી. ભારતીય ટીમના સુકાની રોહિત શર્માએ અડધી સદી ફટકારી દીધી છે અને તે સદી તરફ આગળ વધી રહ્યો છે તો બીજી તરફ શુભ મન પોતાની સુજબુજ વાળી રમત થી રોહિત ને સાત સહકાર આપી ઇંગ્લેન્ડ પર પકડ જમાવવા માટે મેદાને ઉતર્યા છે. એમાં સ્પષ્ટ છે કે જો ભારત ઇંગ્લેન્ડને 150 રનથી વધુની લીડ આપશે તો ઇંગ્લેન્ડ બેગ ફૂટ ઉપર ધકેલાઈ જશે અને તેનો ફાયદો ખરાબ અર્થમાં ભારતીય ટીમને મળશે. ટેસ્ટ મેચ શરૂ થયા પૂર્વે જ રોહિત શર્માએ જણાવ્યું હતું કે ઇંગ્લેન્ડ સામેની આ ટેસ્ટ સીરીઝમાં તે ફુલ પ્લેજ ટીમ સાથે રમ્યો જ ન હતો અને ઘણા ઉતાર ચઢાવ પણ જોવામાં આવ્યા હતા. દરેક સિચ્યુએશનમાં તાકીદે નિર્ણય લેવો પડ્યો તો પરંતુ અંતે ભારતીય ટીમ માટે એ નિર્ણયો ખૂબ ઉપયોગી નીવડ્યા હતા. હાલ ઇંગ્લેન્ડના બોલરો વિકેટ લેવા માટે ખૂબ મહેનત કરી રહ્યા છે પરંતુ જે રમત ભારતીય બેટરીનો દ્વારા રમવામાં આવી રહી છે તેની સામે તેઓ નતમસ્તક થઈ ગયા હોય તેવી સ્થિતિ પણ ઉદભવિત થઈ છે.

ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝમાં સર્વાધિક રન બનાવવા જઈશ વાલે રેકોર્ડ સર્જ્યો વિરાટ ને છોડ્યો પાછળ

ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરીઝ યશસ્વી જયસ્વાલ માટે ખૂબ લાભદાય નીવડી છે કારણ કે યશસ્વી જયશ વાલે ચાલુ ટેસ્ટ સિરીઝમાં ઇંગ્લેન્ડ સામે સર્વાધિક રન બનાવવાનો રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે અને વિરાટ કોહલીને પાછળ છોડી દીધો છે. વર્ષ 2016 માં ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરીઝમાં કોહલીએ સર્વાધિક 655 રન નોંધાવ્યા હતા ત્યારે જઈશ વાલે 700 રન બનાવી આ રેકોર્ડ સર્જ્યો છે. ઇંગ્લેન્ડ સામેની એક જ ટેસ્ટ સિરીઝમાં સર્વાધિકરણ બનાવનાર યશસ્વી જયસ્વાલ એકમાત્ર ભારતીય બેટ્સમેન બન્યો છે. જ્યારે બીજા ક્રમ ઉપર વિરાટ કોહલી અને ત્રીજા ક્રમ ઉપર રાહુલ દ્રવિડ છે કે જે હાલ ભારતીય ટીમના હેડ કોચ છે. એકમાત્ર રેકોર્ડ નહીં પરંતુ જયસ્વાલ બીજો ઝડપી ભારતીય બેટમેન બન્યો છે કે જેને ઝડપથી પૂરા કર્યા હોય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.