Abtak Media Google News

યુકેના સુરક્ષા મંત્રી ભારતની મુલાકાતે, એસ.જયશંકર સાથે બેઠક : ખાલીસ્તાનીઓનો સામનો કરવા રૂ. 1 કરોડનું ફંડ પણ જાહેર કર્યું

બ્રિટનના સુરક્ષા મંત્રી ટોમ તુગેન્ધાતે ખાલિસ્તાનિઓનો સામનો કરવા અને પોતાના દેશની ક્ષમતા વધારવા માટે રૂ. એક કરોડના નવા ફંડની જાહેરાત કરી છે. બ્રિટિશ હાઈ કમિશને તુગેન્ધાતની ત્રણ દિવસીય ભારત યાત્રાના અવસર પર એક નિવેદનમાં આ માહિતી આપી છે. તેઓએ એસ.જયશંકર સાથે બેઠક કરી હતી. સાથે મળીને ખાલીસ્તાનીઓ સામે લડવાની પહેલ કરી હતી.

સુરક્ષા-સંબંધિત પહેલો પર દ્વિપક્ષીય સહયોગ વધારવા અને જી 20 ભ્રષ્ટાચાર વિરોધી મંત્રી સ્તરની બેઠકમાં હાજરી આપવા માટે તુગેન્ધાત ભારતમાં છે. તેઓએ કહ્યું હતું કે 95,000 પાઉન્ડનું રોકાણ ‘ખાલિસ્તાન તરફી ઉગ્રવાદ’ દ્વારા ઊભા થયેલા ખતરા અંગે સરકારની સમજને વધારશે અને સંયુક્ત ઉગ્રવાદ ટાસ્કફોર્સ દ્વારા યુકે અને ભારત વચ્ચે પહેલેથી જ ચાલી રહેલા સંયુક્ત કાર્યને પૂરક બનાવશે, જે પ્રશંસનીય છે.

તેમણે કહ્યું, “અમારા બંને દેશો વચ્ચેની ગાઢ ભાગીદારીનો અર્થ એ છે કે આપણે બંને જે સુરક્ષા જોખમોનો સામનો કરીએ છીએ તેનો વધુ અસરકારક રીતે સામનો કરી શકીશું. હું ઉગ્રવાદ સામે તેના તમામ સ્વરૂપોમાં અમારી સમજણ અને ક્ષમતાઓને વિસ્તૃત કરવા આતુર છું.” આ માટે સાથે મળીને કામ કરવા માટે પ્રતિબદ્ધ છું ”

મંત્રીએ કહ્યું કે તેઓ ભારતની અધ્યક્ષતામાં જી-20 ભ્રષ્ટાચાર વિરોધી બેઠકમાં ભાગ લઈને ખુશ છે.  “ભ્રષ્ટાચાર આપણી સમૃદ્ધિ, આપણા સમાજને નુકસાન પહોંચાડે છે અને આપણી રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં મૂકે છે,” તેમણે કહ્યું.

બ્રિટનના મંત્રી દ્વારા નવા ફંડની જાહેરાત સંબંધિત પ્રશ્ન પર વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે આ બ્રિટનનો આંતરિક મામલો છે અને તેના પર ટિપ્પણી કરવી તેમના માટે યોગ્ય રહેશે નહીં. અલબત્ત, અમે યુકે દ્વારા ઉગ્રવાદીઓ અને કટ્ટરપંથીઓ, ખાસ કરીને જેઓ હિંસા ભડકાવી રહ્યા છે અને સુરક્ષા માટે ખતરો ઉભો કરી રહ્યા છે તેમની સામે કાર્યવાહી કરવાની જરૂરિયાત પર ભાર મૂકી રહ્યા છીએ,તેમણે કહ્યું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.