ઈન્ડિયન એરફોર્સનું ચોપર Mi-17 V5 અરૂણાચલના તવાંગ પાસે ક્રેશ થયું છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ આ હેલિકોપ્ટરમાં સાત લોકો સવાર હતા. આ દુર્ઘટનાને કારણે 5 જવાનનાં મૃત્યુ થયા હોવાની વિગત મળી છે. જયારે એક જવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ બે લોકોના મૃતદેહ મળી આવ્યાં છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ શુક્રવારે વહેલી સવારે 6 વાગ્યે એર મેઇન્ટનન્સ મિશનના ભાગરૂપે અરૂણાચલ પ્રદેશના તવાંગ નજીકથી Mi-17 V5 હેલિકોપ્ટરે ઉડાન ભરી હતી. બાદમાં કોઈ કારણસર આ હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ દુર્ઘટના કયા કારણસર સર્જાઈ તે અંગે સેનાએ કોર્ટ ઓફ ઇન્કવાયરીના આદેશ આપી દીધાં છે
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ