Abtak Media Google News

ઉત્તરી અરબ સાગરમાં એમવી લીલા નોરફોકના અપહરણની કોશિશને ભારતીય નૌસેનાએ તાત્કાલિક કાર્યવાહી કરીને નિષ્ફળ કરી દીધી હતી. જહાજ પર સવાર તમામ 21 ચાલક દળના સભ્યોને સુરક્ષિત કાઢી લેવામાં આવ્યા છે. તેમાંથી 15 ભારતીય છે. નૌસેનાના માર્કોસ કમાંડોના જણાવ્યા અનુસાર, જહાજ પર અપહરણ કરનારા હાજર નહોતા. ભારતીય નૌસેનાના જહાજ આઈએનએસ ચેન્નઈ કાર્ગો શિપ એમવી લીલા નોરફોકની નજીક છે. તેના વીજળી ઉત્પાદન અને નેવિગેશન સિસ્ટમને ચાલુ કરીને આગળના પોર્ટ સુધી પોતાની યાત્રા શરુ કરવામાં મદદ આપવામાં આવી રહી છે.

નૌ સેનાના આઈએનએસ વિક્રાંતનું સફળ ઑપરેશન 15 ભારતીયો સહીત તમામ ક્રૂ મેમ્બર્સ સલામત

આ અગાઉ અપહરણ કરાયેલ જહાજ એમવી લીલા નોરફોકપર નૌસેનાના માર્કોસ કમાંડોનું ઓપરેશન શરુ કર્યું હતું. નૌસેનાના કમાંડો અપહરણ થયેલા શિપ પર ચડી ગયા અને જહાજની શોધખોળ શરૂ કરી હતી. નૌસેનાના વોરશિપ આઈએનએસ ચેન્નઈએ પોતાની એન્ટી પાઈરેસી ગશ્તથી હટીને અપહરણ થયેલા જહાજ એમવી લીલા નોરફોકનો રોકી લીધું હતું. તેને સમુદ્રી વિમાન, પ્રીડેટર એમક્યૂ9બી અને ઈંટીગ્રલ હેલોસનો ઉપયોગ કરીને સતત દેખરેખમાં રાખ્યું હતું.

ભારતીય નૌકાદળે અગાઉ અપહરણકર્તાઓને અપહરણ કરાયેલા જહાજને છોડી દેવાની ચેતવણી આપી હતી. ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજએ માલવાહક જહાજ ‘એમવી લીલા નોરફોક’ની નજીક પહોંચતાની સાથે જ લુંટારાઓને એલર્ટ જાહેર કર્યું હતું. જેનું ગઈકાલે મોડી સાંજે સોમાલિયાના દરિયાકાંઠા નજીકથી અપહરણ કરવામાં આવ્યું હતું. યુકે મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સ દ્વારા હાઇજેકનો અહેવાલ જાહેર કરવામાં આવ્યો હતો. તે એક બ્રિટિશ લશ્કરી સંસ્થા છે, જે વ્યૂહાત્મક જળમાર્ગોમાં વિવિધ જહાજોની હિલચાલ પર નજર રાખે છે. આ જહાજમાં લગભગ 15 ભારતીય ક્રૂ મેમ્બર છે.

આ કારણે નૌકાદળના અધિકારીઓએ જણાવ્યું કે જહાજ પર સવાર ભારતીય ક્રૂ સુરક્ષિત છે. નૌકાદળના વિનાશક યુદ્ધ જહાજ આઈએનએસ ચેન્નાઈએ તેના હેલિકોપ્ટર દ્વારા લુંટારાઓને હાઈજેક કરાયેલા જહાજને છોડી દેવાની ચેતવણી આપી હતી. ગયા મહિને જ, નેવીએ તાજેતરના દરિયાઈ હુમલાઓને રોકવા માટે તેની હાજરી વધારવા માટે અરબી સમુદ્ર અને લાલ સમુદ્રમાં ઘણા યુદ્ધ જહાજો તૈનાત કર્યા હતા. આ હુમલાઓમાં ભારતના દરિયાકાંઠે એક જહાજ પર ડ્રોન હુમલો પણ સામેલ હતો, જેના માટે અમેરિકાએ ઈરાનને જવાબદાર ઠેરવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.