ખરીફ ઋતુમાં સુરેન્દ્રનગર જિલ્લાનાં મોટાભાગનાં વિસ્તારોમાં પાક નિષ્ફળ ગયા છે. આ સિઝનમાં પાક ઉત્પાદન નહિવત જ આવશે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની માર્ગદર્શિકા મુજબ જે-તે વિસ્તારોનું પાક ઉત્પાદન ૫૦ ટકાથી ઓછું આવે એમ લાગે છે તો તાત્કાલિક સર્વે કરી પાક કાપણીનાં અખતરાની રાહ જોયા વગર પાક વિમા પોલીસી ધારક ખેડુતોને ૨૫ ટકા ઓન એકાઉન્ટ ચુકવણું કરવું જોઈએ તેવી રજુઆત છે. આ દિશામાં જરૂરી તમામ પગલા લઈ જે વિસ્તારોમાં ખેડુતોના પાકોનું બહોળુ નુકસાન થયું છે અને ઉત્પાદન ૫૦ ટકાથી પણ નીચે આવવાનું છે તો તમામ ખેડુતોને તાત્કાલિક ધોરણે ૨૫ ટકા ઓન એકાઉન્ટ ચુકવણુ કરવા માટે યુનિવર્સલ સોમ્પો વિમા કંપનીને આદેશ આપવામાં આવે તેવી રજુઆત સાથે આવેદનપત્ર આપવામાં આવે તેવી રજુઆત સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું. ખેડુતો કાળી મજુરી કરી વિમાનું પ્રીમીયમ ભરે છે એટલે જયારે પાક નિષ્ફળ જાય ત્યારે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત અસરગ્રસ્ત ખેડુતોને ન્યાય મળવો જોઈએ તેવી પણ રજુઆત કરાઈ છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને લોન વગેરે બાબતનું ટેન્શન રહેતું જોવા મળે અને પૂજા પાઠથી બળ મળી રહેશે
- 115 વર્ષ પહેલાં ગાયબ થયેલું શ્રાપિત જહાજની તસવીરો જોઈ ડરી જશો
- પત્ની સાથે અનૈતિક સંબંધનો બદલો લેવા ફિલ્મી ઢબે પાર્સલમાં દેશી બોમ્બ મોકલ્યાનો ઘટસ્ફોટ
- વધુ એક કસ્ટોડિયલ ડેથ? : કુવાડવા પોલીસના મારથી વૃદ્ધ મોતને ભેંટ્યાનો પરિજનોનો આક્ષેપ
- અદાણીની 6 કંપનીઓને સેબીની કારણદર્શક નોટિસ
- પ્રચાર પડઘમ રવિવારે સાંજે 6 વાગ્યાથી થશે શાંત
- રાજકોટ RTOનો ‘નિયમતોડ’ લોકોને એપ્રિલ માસમાં અડધા કરોડનો ‘ચાંદલો’
- પુરૂષો આવેગીક રીતે સ્ત્રીઓની તુલનામાં ઓછા પરિપક્વ: સર્વે