Abtak Media Google News

આશરે ૭૦૦થી વધુ ઉમેદવારો જોડાશે

ઓમ માનવ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા નવ વર્ષથી બ્રાહ્મણ યુવક-યુવતીઓ માટે સમગ્ર બ્રાહ્મણ જીવનસાથી પરિચય સંમેલનો યોજી સુયોગ્ય પાત્ર ચયનમાં માતા-પિતાને સમગ્ર બ્રહ્મ પરિવારોને સહાયભૂત બની રહ્યું છે. નવ વર્ષની સફળતા બાદ આગામી દસમાં પરિચય સંમેલનનું ટ્રસ્ટ દ્વારા આયોજન હાથ ધરાયું છે. ટ્રસ્ટ મંડલનાં અધ્યક્ષ પ.પૂ.આચાર્ય ઘનશ્યામજી મહારાજ ભુવનેશ્વરી પીઠની નિશ્રામાં દશાબ્દિ વર્ષ નિમિતે આયોજન સમિતિનું ગઠન કરવામાં આવેલ છે. જે સંયુકત રીતે દસમાં જીવનસાથી પરિચય સંમેલનનું આખરી ઓપ આપી રહ્યા છે.

કાર્યક્રમનાં પ્રમુખ જગદીશભાઈ ત્રિવેદી અને ક્ધવીનર મધુકરભાઈ ખીરાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, સમગ્ર બ્રાહ્મણ સમાજનાં યુવક-યુવતીઓને સુપાત્રની પસંદગી માટે આગામી પાંચમી જાન્યુઆરી ૨૦૨૦ને રવિવારે રેડક્રોસ હોલ, કુંડલીયા કોલેજ કેમ્પસ, શાસ્ત્રીમેદાન સામે, દસમો સમગ્ર બ્રાહ્મણ જીવનસાથી પરિચય સંમેલનનું આયોજન કરાયું છે. જેમાં ટ્રસ્ટ અને આયોજન સમિતિની નિશ્રામાં હોદેદારો અને સભ્યો એવા બ્રહ્મ સ્વયંસેવક ભાઈ-બહેનોની ટીમ સેવારત બની છે. આ વર્ષે અંદાજે ૭૦૦/૮૦૦ ઉમેદવારો આ સંમેલનમાં ભાગ લેશે તેવી ધારણા રાખવામાં આવી રહી છે. સંમેલન માટે ફોર્મ સ્વિકારવાની અંતિમ તારીખ ૧/૧૨/૨૦૧૯ રાખવામાં આવી છે.

ટ્રસ્ટી મંડળ ઉપરાંત આ કાર્યક્રમ સંદર્ભે સલાહકાર પરામર્શ સમિતિ, કાર્યવાહક સમિતિ સહિત વિવિધ કમિટીઓની વરણી કરવામાં આવી છે. જેમાં ૨૦૦ કરતા વધારે સ્વયંસેવક ભાઈ-બહેનો સેવારત બન્યા છે. કાર્યક્રમનો લાભ લેવા કાર્યાલય કમલકાંત ભુવન, ૬/૧૧ જાગનાથ પ્લોટ, રાજકોટ ફોન નં.૦૨૮૧-૨૪૬૩૯૩૬, જે.પી.ત્રિવેદી મો.૯૪૨૬૬ ૩૦૩૨૩, મધુકરભાઈ ખીરા મો.૯૭૨૬૧ ૪૯૫૪૮, પ્રવિણભાઈ જોશી મો.૯૮૨૫૮ ૨૭૯૨૦, જનાર્દનભાઈ આચાર્ય મો.૯૮૨૪૨ ૧૪૦૨૧ ઉપર સંપર્ક સાધવા જણાવાયું છે. સમગ્ર કાર્યક્રમની સફળતા માટે જગદીશભાઈ ત્રિવેદી, મધુકરભાઈ ખીરા, પ્રવિણભાઈ જોશી, જનાર્દન આચાર્ય, મહેન્દ્રભાઈ ઉપાધ્યાય, લલિતભાઈ ઉપાધ્યાય, સુરેશભાઈ મહેતા, જગદીશભાઈ જે.ત્રિવેદી, યોગેશભાઈ ભટ્ટ, કમલેશભાઈ જોશી સહિતનાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.