Abtak Media Google News

ભારતનો પાડોશી દેશ શ્રીલંકા સળગી રહ્યો છે. આ સુંદર દેશ 1948માં બ્રિટનથી આઝાદ થયા બાદ સૌથી ગંભીર આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો છે.  અહીં ગૃહયુદ્ધની સ્થિતિ સર્જાઈ છે.  વડા પ્રધાન મહિન્દા રાજપક્ષેએ તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું.  તેમના પૈતૃક મકાનને આગ ચાંપી દેવામાં આવી હતી.  રાજધાની કોલંબોની સડકો પર સેનાને ઉતારી દેવામાં આવી છે.  દેશમાં સરકાર સમર્થકો અને વિરોધીઓ વચ્ચેની અથડામણમાં શાસક પક્ષના સાંસદ સહિત આઠ લોકો માર્યા ગયા હતા.

બુધવારે સવારે 7 વાગ્યા સુધી કર્ફ્યુ લંબાવવામાં આવ્યો છે.  આગામી આદેશ સુધી તમામ પોલીસકર્મીઓની રજાઓ રદ કરવામાં આવી છે.  મહિન્દા રાજપક્ષેના સમર્થકોએ વિરોધીઓ પર હુમલો કર્યા બાદ દેશભરમાં હિંસા ફાટી નીકળી હતી.  ક્રિકેટ, ચા અને પર્યટન માટે વિશ્વભરમાં પ્રખ્યાત આ ટાપુ દેશ હવે ભારતને પણ અસર કરી શકે છે.  હા, શ્રીલંકામાં જે કંઈ પણ થઈ રહ્યું છે, ત્યાં જે આગ લાગી છે તે ભારતના દરિયા કિનારે પહોંચી શકે છે.

ખરેખર, શ્રીલંકાની કટોકટી મુખ્યત્વે વિદેશી હૂંડિયામણની અછતને કારણે ઊભી થઈ હતી.  કોરોનાના સમયગાળા દરમિયાન, પર્યટન ક્ષેત્રના તૂટવાથી અને ચીનના જંગી દેવાને કારણે, આ દેશ ગરીબ બની ગયો.  શ્રીલંકા હવે મુખ્ય ખોરાક અને ઇંધણની આયાત માટે ચૂકવણી કરવા સક્ષમ નથી.  સરકાર પાસે અન્ય દેશો પાસેથી ખરીદવા માટે પૈસા બચ્યા નથી.  ભારત મદદ કરી રહ્યું છે પરંતુ દેશમાં આવશ્યક ચીજવસ્તુઓના ભાવ આસમાને છે.

જ્યારે લોકોનો ગુસ્સો ભડક્યો ત્યારે હજારો વિરોધીઓ રસ્તા પર આવી ગયા.  સરકારના સમર્થકો અને વિરોધીઓ વચ્ચે ઘર્ષણ થયું.  દેશમાં પહેલાથી જ ઈમરજન્સી જાહેર કરી દેવામાં આવી છે.  દેશમાં સંપૂર્ણ અશાંતિનો માહોલ છે.

શ્રીલંકામાં આ સ્થિતિ અચાનક નથી બની.  છેલ્લા ઘણા મહિનાઓથી લોકોની મુશ્કેલી વધવા લાગી હતી.  ભૂખ અને ગરીબીથી હતાશ થઈને શ્રીલંકાના તમિલો તેમના ’સેક્ધડ હોમ’ તરફ વળ્યા.  માર્ચ-એપ્રિલમાં આવેલા આ તમિલો માટે તમિલનાડુમાં શરણાર્થી કેમ્પ પણ બનાવવામાં આવ્યા હતા.  આવી સ્થિતિમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે શ્રીલંકામાં જે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે તેના કારણે લોકોને ભારત જવાની ફરજ પડી શકે છે.  હા, શ્રીલંકામાંથી તમિલોનું સ્થળાંતર થઈ શકે છે.  માર્ચમાં જ અધિકારીઓને આશંકા હતી કે શ્રીલંકાના 4,000 થી વધુ નાગરિકો ભારત આવી શકે છે.

પરંતુ હવે રાજકીય અસ્થિરતાના વર્તમાન સંજોગોમાં આ આંકડો ઘણો વધારે હોઈ શકે છે.  લોકોની પરેશાની આના પરથી સમજી શકાય છે કે એલપીજી સિલિન્ડરની કિંમત 5000 રૂપિયા, દૂધ પાવડર 1900 રૂપિયા કિલો, ઈંડું 50 રૂપિયાની આસપાસ થઈ ગયું છે.  હવે ખાવા પીવાની સમસ્યા છે.  તમિલનાડુની સ્ટાલિન સરકાર શ્રીલંકાના આર્થિક સંકટ પર નજર રાખી રહી છે અને ત્યાંથી આવતા લોકો માટે નિયમો બનાવવામાં આવ્યા છે. શ્રીલંકાના થલાઈમન્નારથી તમિલનાડુના ધનુષકોડી વચ્ચેનું અંતર લગભગ 30 કિમી છે.

આ માર્ગ પરથી માછીમારો વારંવાર શ્રીલંકાના પાણીમાં ભટકે છે.  હવે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ભારતને 1983ની જેમ વધુ એક શરણાર્થી સંકટનો સામનો કરવો પડી શકે છે.  તે સમયે શ્રીલંકાથી હજારો શરણાર્થીઓ આવવા લાગ્યા.

વર્ષ હતું 1983, ત્યાં સુધીમાં શ્રીલંકાના ખતરનાક સંગઠન લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ ઈલમ એટલે કે એલટીટીઈનો આતંક શરૂ થઈ ગયો હતો.  દરમિયાન, જુલાઈ મહિનાની એક રાત્રે, એલટીટીઈએ શ્રીલંકાની સેના પર હુમલો કર્યો.  જેમાં 13 જવાનો શહીદ થયા હતા.  આ હુમલાના વિરોધમાં સિંહલા સમુદાયના લોકોએ તમિલોને મારવાનું શરૂ કર્યું.

જ્યાં પણ તમિલો મળ્યા, ત્યાં તેમને મારી નાખવામાં આવ્યા.  જેલમાં બંધ તમિલોની પણ હત્યા કરવામાં આવી હતી.  આવી સ્થિતિમાં હજારો તમિલોએ પોતાનો જીવ બચાવવા માટે દેશ છોડીને ભાગવું પડ્યું હતું.  તેઓ થલાઈમન્નાર-ધનુષકોડી માર્ગેથી આવ્યા હતા. એલટીટીઇ નાબૂદ થયા પછી પણ લગભગ એક લાખ તમિલ શરણાર્થીઓ ભારતમાં રહી ગયા હતા.  મોટાભાગના લોકો તેમના દેશમાં પાછા ગયા પરંતુ કેટલાક હજુ પણ તમિલનાડુ પ્રાંતમાં રહે છે.  એ જ શરણાર્થી કટોકટી ફરી ઊભી થઈ શકે છે.

શ્રીલંકાના તમિલો મૂળભૂત રીતે ભારતીય મૂળના તમિલો છે જેમના પૂર્વજો એક સદી પહેલા શ્રીલંકાના ચાના બગીચાઓમાં કામ કરવા ગયા હતા.  ર019 ના અહેવાલ મુજબ, તમિલનાડુમાં 107 શરણાર્થી શિબિરોમાં 60,000 લોકો સાથે લગભગ 19,000 પરિવારો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.