Abtak Media Google News

ઉત્તરપ્રદેશના કુશીનગરમાં સોમવારે બપોરે વાયુસેનાનું એક લડાકુ વિમાન જેગુઆર ક્રેશ થઈ ગયું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ વિમાને ઉડાન ભર્યાના થોડીવારમાં જ ક્રેશ થઈ ગયું હતું. આ ઘટનામાં પાયલટનો બચાવ થયો છે. આ વિમાન કુશીનગરના ગ્રામીણ વિસ્તારના ખેતરમાં જઈને પડ્યું છે. આ વિમાન ખેતરમાં પડતાં જ ગામના લોકોની ભીડ ત્યાં ભેગી થઈ ગઈ હતી.

આ જેગુઆર વિમાને ગોરખપુરના એરબેઝથી ઉડાન ભરી હતી. પ્લેન ક્રેશ થતાં પહેલાં પાયલટે સુઝ-બુઝથી પોતાનો જીવ બચાવી લીધો હતો. પ્લેન ક્રેશ થતાં પહેલાં પાયલટને બહાર નીકળવામાં સફળતા મળી હતી. પાયલટે પણ સમઝ વાપરીને વિમાનને વસ્તીથી દૂર લઈ ગયો હતો જેથી સામાન્ય વ્યક્તિને કોઈ નૂકસાન ન થાય. વાયુસેના તરફથી આ ઘટનામાં કોર્ટ ઓફ ઈન્કવાયરીનો આદેશ આપવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.