Abtak Media Google News

ઓખાના આરંભડા ખાતે આવેલ જલારામ મંદિરની સ્થાપના ૨૦૦૯માં કરવામાં આવી હતી. જેનું સંચાલન જલારામ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ મનસુખભાઈ બારાઈ કરી રહ્યા છે. અહીં આ મંદિરમાં જલારામ સાથે રામ-સીતા, રાધા-કૃષ્ણ, શીવજી સાથે સાંઈબાબાની મુર્તીની સ્થાપના કરવામાં આવેલ છે.

અહીં ટ્રસ્ટ દ્વારા ઘ્વજારોહણ, બટુકભોજન, નવરાત્રી મહોત્સવ, નાત-જમણ જેવી વિશિષ્ટ સેવાકીય પ્રવૃતિઓ ચલાવવામાં આવે છે. આજરોજ ઓખા રઘુવંશી મહિલા મંડળ દ્વારા આ મંદિરના પાંચ શીખરો પર ઘ્વજારોહણનો કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં ઓખા રઘુવંશી મહિલા મંડળના પ્રમુખ સાથે ઓખા સર્વોદય મહિલા ઉધોગ મંડળના પ્રમુખ ડો.પુષ્પાબેન સોમૈયા ખાસ હાજર રહ્યા હતા.

મંદિરમાં પાંચ ઘ્વજાની પુજા-આરતી કરી ધામધુમ પૂર્વક સર્વે રઘુવંશી મહિલાઓએ સાથે મળી આ પ્રસંગ ઉજવ્યો હતો ત્યારબાદ જલારામ હોલ ખાતે બટુક ભોજન રાખવામાં આવેલ જેમાં ૧૦૦ બાળકોને સમુહ ભોજન કરાવવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.