Abtak Media Google News

જમ્મુ-કાશ્મીરના કિશ્તવારના ઠકુરાઈ વિસ્તારમાં શુક્રવારે વહેલી સવારે એક મેટાડોર વાન ખીણમાં પડી ગઈ હતી. આ ઘટનામાં 11 લોકોના મોત થયા છે જ્યારે 13 લોકો ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતાં જ રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. રાહત-બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. કિશ્તવારના ડીસી અંગ્રેજ સિંહ રાણાએ પણ આ ઘટનાનો ખુલાસો કર્યો છે.

પોલીસે જણાવ્યું કે, મિની બસના ચાલકે નિયંત્રણ ગુમાવ્યુ હોવાથી બસ પલટી ખઈને ખીણમાં પડી ગઈ હતી. પોલીસે અત્યાર સુધી આઠ મૃતદેહોનો કબજો મેળવી લીધો છે. ગુમ થયેલા લોકોની તપાસ કરવામાં આવી રહી છે. મળેલી માહિતી પ્રમાણે આ ગાડીમાં કુલ 25 લોકો હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.