Abtak Media Google News
  •  યુવાને પોતાની દુકાનમાં અગમ્ય કારણસર  પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કર્યું

  • તબીબે તેને મૃત જાહેર કર્યો

જામનગર સમાચાર

જામનગરના રામેશ્વર નગર વિસ્તારમાં રહેતા એક દુકાનદારે કોઈ અગમ્ય કારણોસર પોતાની દુકાનમાં કાયા પર પેટ્રોલ રેડી અગ્નિસ્તાન દ્વારા આત્મહત્યા કરી લીધી છે. જે મામલે પોલીસ તપાસ ચલાવી રહી છે. આ બનાવની વિગત એવી  છે કે જામનગરના રામેશ્વર નગર નજીક ગાયત્રી નગર શેરી નંબર ત્રણમાં રહેતા અને પંચવટી વિસ્તારમાં દુકાન ચલાવતા ભાગ્યદીપસિંહ ધર્મેન્દ્રસિંહ જાડેજા નામના ૨૫ વર્ષના યુવાને પોતાની દુકાનમાં કોઈ અગમ્ય કારણસર પોતાની કાયા પર પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કરી લીધું હતું.

જે બનાવ અંગે ૧૦૮ ની ટીમને જાણ થતાં ૧૦૮ ની ટુકડી ઘટના સ્થળે દોડી આવી હતી, અને ભાગ્યદીપસિંહ ને ગંભીર હાલતમાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો. જયાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કર્યું હતું.
આ બનાવ અંગે મૃતકના નાનાભાઈ કૃષ્ણદીપસિંહ ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પોલીસને જાણ કરતાં સીટી બી ડિવિઝન પોલીસે મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને સમગ્ર બનાવ મામલે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.

સાગર સંઘાણી

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.