Abtak Media Google News

                                          એકાએક લાપતા થતા ફરિયાદ નોંધાય 

Whatsapp Image 2023 08 31 At 13.33.19

જામનગરના ખીજડા મંદિર ટ્રસ્ટમાં રહીને અભ્યાસ કરતા સિક્કિમના બે અને નેપાળનો એક સગીર વિદ્યાર્થી કે જેઓ ૨૮ મી તારીખે સવારે ૧૦ વાગ્યા ના અરસામાં સંકુલમાંથી એકાએક લાપતા બની જતાં તેઓનું અપહરણ થઈ ગયું હોવાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે, અને ત્રણેય ની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.

જામનગરમાં ખંભાળિયા નાકા પાસે આવેલા પ, નવતનપુરી ધામ ખીજડા મંદિર ટ્રસ્ટ ના મંદિર પરીસરમાં રહી ને અભ્યાસ કરી રહેલા ૧૦ થી ૧૨ વર્ષની વયના સિક્કિમ ના બે વિદ્યાર્થીઓ જ્યારે ૧૨ વર્ષનો નેપાળનો એક સગીર વિદ્યાર્થી કે જે ગત ૨૮મી તારીખના સવારે ૧૦.૦૦ વાગ્યાના ટ્રસ્ટની જગ્યામાંથી એકાએક લાપતા બની ગયા હતા.

તેઓનો અનેક સ્થળે શોધખોળ કર્યા પછી પણ કોઈ પત્તો નહીં સાંપડતાં આખરે સંચાલક મંડળના પ્રદિપસિંહ જાડેજાએ સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ત્રણેય બાળકોના અપહરણ અંગેની ફરિયાદ નોંધાવી છે. પી.એસ.આઇ. એમ.એ. ચાવડા ત્રણેય બાળકોને શોધવા માટેની કવાયત કરી રહ્યા છે.

 

સાગર સંઘાણી

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.