Abtak Media Google News

જામનગરના રામેશ્વર નગર વિસ્તારમાં નોનવેજ ની રેકડી ચલાવતા એક રેકડી ધારકો પર વચ્ચેથી વારો લેવાના મામલે તકરાર થયા પછી એક શખ્સે લાકડાના ધોકા વડે રેકડી ચાલક પર હુમલો કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં ગાંધીનગર વિસ્તારમાં રહેતા અને રામેશ્વર નગરમાં ઈંડાકરી ની રેકડી ધરાવતા દિવ્યરાજ સિંહ રવિરાજસિંહ જાડેજા નામના રેકડી ધારકે પોતાના ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે માટેલ ચોકમાં રહેતા ધનરાજસિંહ નવલસિંહ પરમાર નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદી પોતાની રેકડીએ અન્ય ગ્રાહકો માટે જમવાનું બનાવતો હતો, જે દરમિયાન આરોપી ધનરાજસિંહ એ આવીને પહેલા મારો ઓર્ડર લઈ લે,  તે બાબતે તકરાર કરી હતી.

જેમાં બીજાનો વારો આવે પછી બનાવી દઉં, તેમ કહતાં આરોપી ઉસ્કેરાયો હતો, અને રેકડી ચાલક ઉપર હુમલો કરી દીધો હતો. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.