Abtak Media Google News

જામનગર જીલ્લાના લાલપુર બાયપાસ ઓવરબ્રિજ કામગીરી માટે નડતરરૂપ દબાણો હટાવવા ઓપરેશન ડીમોલીશન શરુ કરવામાં આવી છે જે આજ રોજ સવારથી મનપાની એસ્ટેટ વિભાગ દ્વારા કાર્યવાહી શરુ બપોર સુધી માં સંપૂર્ણ કામગીરી પૂર્ણ કરી દેવાશે તેવું એસ્ટેટ અધિકારી એન.આર.દીક્ષિત દ્વારા જણાવવામાં આવ્યું હતું.

Rr

 

જામ્યુકો ના કમિશ્નર ડી.એન.મોદીની સુચનાથી નાયબ કમિશ્નર બી.એન.જાનીના માર્ગદર્શન હેઠળ મનપાની એસ્ટેટ શાખા દ્વારા આજરોજ લાલપુર બાયપાસ ચોકડીથી ખંભાળીયા બાયપાસ તરફ જતા રસ્તા પર એપલ ગેટ સુધી નડતરરૂપ દબાણો દુર કરવાની કાર્યવાહીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે.

લાલપુર બાયપાસથી ખંભાળીયા બાયપાસ તરફ જતા રસ્તા પર સર્વિસ રોડ ને લઈ ડીમોલીશન કાર્યવાહી 60 મીટરના એરિયામાં આવતા દીવાલો, રેકડીઓ, કેબીનો સહીત દુર કરવાની કાર્યવાહી શરુ કરવામાં આવી છે જે બપોર સુધીમાં પૂર્ણ થઇ જશે તેમ એસ્ટેટ શાખા ના અધિકારી એન.આર.દીક્ષિતે મીડિયા સમક્ષ વિગતો આપી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.