Abtak Media Google News

પોલીસ દ્વારા પતિને અવાર નવાર ત્રાસ અપાતો હોવાથી પત્નીએ એસિડ પી લીધું હોવાના પતિના આક્ષેપથી ભારે હલચલ

જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ આજે સાંજે પોતાના ઘરે આત્મહત્યા કરી લેતાં ભારે ચકચાર જાગી છે. પોલીસ દ્વારા પતિ પર અવારનવાર ત્રાસ ગુજારવામાં આવતો હોવાના કારણે એસીડ પી લેતાં સારવાર દરમિયાન જામનગરની ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં મૃત્યુ નીપજ્યું છે.

પરિવારજનોનો આક્ષેપ છે કે મૃતક મહિલાના પતિ બીપીન ચાવડાને અવારનવાર પોલીસ દ્વારા ધાકધમકીઓ આપવામાં આવતી હતી, જેના કારણે મૃતકના પતિએ તેની પત્ની સામે કહ્યું હતું કે હવે હું પોલીસના ત્રાસથી દવા પી અને મરી જવાનો છું. જેનું મહિલાએ મનમાં લઈ લીધું હતું, અને પોતે એસીડ પી લેતાં તેણીને સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેણીનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કરાતાં ચકચાર જાગી છે.

જામનગરની જી.જી. હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં જામનગર સીટી એ. ડીવિઝન પોલીસ સ્ટાફ દોડી ગયો હતો, અને સમગ્ર મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.

રિપોર્ટર: સાગર સાંઘાણી, જામનગર

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.