Abtak Media Google News

જામનગરના વકીલ કિરીટ જોષી હત્યા કેસમાં પોલીસે વધુ ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે. જેમાં એક આરોપી રાજકોટનો છે. ઝડપાયેલા ત્રણેય આરોપી એ હત્યામાં વચેટિયાઓની ભૂમિકા ભજવી હોવાનું બહાર આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથમા લીધા બાદ મુખ્ય આરોપી તરીકે ભૂમાફિયા જયેશ પટેલનુ નામ સામે આવ્યું હતુ.

ઝડપાયેલા આરોપીમા રવિ રાજેશ ગંગવાણી, નૈમિષ ઉર્ફે ભુરો બિપીન ગણાત્રા (રહે.રાજકોટ) જે મનિષ અમૃત ચારણનો સમાવેશ થાય છે. આ ત્રણેય આરોપીઓએ વાહનો અને રહેવા માટે આશ્રય સ્થાનો પુરા પાડી હત્યામાં મદદ કરી હોવાનું સામે આવ્યું હતુ. અમદાવાદના બે શખ્સે એક લાખ ખરીદી આપી હતી રાજકોટના શખ્સે આરોપીઓને ઘરે રહેવાની સગવડ કરી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.