Abtak Media Google News

પ્રેમી સામે આત્મહત્યાની ફરજ પાડવાનો નોંધાતો ગુનો

જસદણમાં પરિણીત પ્રેમી યુગલ વચ્ચે ઝગડો થતા પરણિતાએ તેના ઘરે પંખે લટકી ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. જેમાં મૃતક મહિલા અને તેનો પ્રેમી એક જ શેરીમાં રહેતા હતા અને છેલ્લા ચાર વર્ષથી બન્ને એકબીજાને પ્રેમ કરતા હતા.જેથી પરણિત પ્રેમી સામે પોલીસે આપઘાતની ફરજ પડ્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું હતું.

પોલીસને મહિલાએ લખેલી સ્યુસાઈડ નોટ મળી આવતા તેના આધારે પોલીસે આરોપી પ્રેમીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મહિલાને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. વાજસુરપરા શેરી નંબર-19 માં રહેતી રીટાબેન વનમાળીદાસ દેસાણી(ઉ.વ.33) નામની પરિણીત મહિલાએ આપઘાત કરી લેતાં આ બનાવની જાણ થતા જસદણ પોલીસ મથકના પીઆઈ કે.જે.રાણા અને રાઈટર મથુરભાઈ સહિતનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને લાશને નીચે ઉતારી પીએમ અર્થે જસદણની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી. આ બનાવમાં પોલીસને ઘટના સ્થળેથી મૃતકે લખેલી સ્યુસાઈડ નોટ મળી આવતા તેને કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જેમાં પોલીસે અઝીમ રહીમભાઈ ડોડીયા નામનો શખ્સ અને મૃતક મહિલા બન્ને એક જ શેરીમાં રહેતા હતા અને છેલ્લા ચાર વર્ષથી બન્ને એકબીજાને પ્રેમ કરતા હતા. પરંતુ પ્રેમીએ તેની પ્રેમિકાને દગો આપતા પરિણીત મહિલાએ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું હતું. જેથી પોલીસે આરોપી હજી અઝીમ સામે આપઘાતની ફરજ પાડવા નો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.