Abtak Media Google News

સુસાઇડ નોટ લખી ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું: પરિવારમાં અરેરાટી

જેતપુરના જનતાનગર વિસ્તારમાં રહેતા સટ્ટા સાથે સંકળાયેલા આધેડ પર પૈસાનું થઇ જતાં પોતાના સુસાઇડ નોટ લખી ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે.

Advertisement

આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જેતપુરના જનતાનગર વિસ્તારમાં બાંગ્લો ગોપી એપાર્ટમેન્ટમાં રહેતા અને સટ્ટા બજાર સાથે સંકળાયેલા દિપકભાઇ અમરીલાલ સાંગાણી નામના ૪૬ વર્ષીય લુહાણા આધેડે પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. મૃતક દિપકભાઇ સાંગાણીએ આપઘાત કર્યા પહેલા મારી માથે દેણું છે એટલે આ  કરું છું મારો ભાગ મારી પત્નીને અપાવી દેજો લખેલી સુસાઇડ નોટ પોલીસ તપાસમાં મળી આવી હતી.

દિપક સાંગાણીએ ગળાફાંસો ખાતા બેભાન હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે જોઇ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે. પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.