કોવીડ-૧૯ માં કોરોના વાયરસ ફેલાતો અટકાવવા સરકાર દ્વારા વિવિધ પગલાં ભરવામાં આવેલા હતાં. જ્યારે લાગું કરવામાં આવેલ લોકડાઉન માં કેશોદ પંથકમાં શારીરિક બીમારી કે આકસ્મિક ઘવાયેલાં વ્યક્તીઓ ને તાત્કાલિક સારવાર મળી રહે એ માટે સતત પ્રયત્નશીલ રહેનારી કેશોદ ૧૦૮ નાં ઈએમટી પુનમ વાઘેલા અને પાયલોટ ભરત નંદાણીયા નું સન્માનપત્ર અને પીપી કીટ આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. કેશોદના માણેકવાડા ગામના જય મુરલીધર ગ્રુપ દ્વારા કાનાભાઈ વીરડા, નાથાભાઈ કુવાડીયા, સંજયભાઈ ડાંગર, વિપુલભાઈ કાનગડ અને અગતરાય પીએચસી નાં માધવીબેન સોદરવા સી.એચ. વો માણેકવાડા હાજર રહી કેશોદ ૧૦૮ ટીમની કોરોના મહામારી માં કરેલી કામગીરીને બિરદાવી હતી. કેશોદ ૧૦૮ નાં ઈમરજન્સી મેડિકલ ટેકનીશ્યન તરીકે ફરજ બજાવતા પુનમબેન વાઘેલા સર્ગભા હોવાં છતાં ફરજ બજાવતા હતાં અને મનોમન એવું નક્કી કર્યું હતું કે કેશોદ શહેર તાલુકાને થી કોરોના મુક્ત બનાવવા જ્યાં સુધી શારીરિક અને માનસિક સ્વસ્થતા હશે ત્યાં સુધી ફરજ બજાવી ને આવનારાં બાળકને કોરોના મુક્ત કેશોદ ની ભેટ આપવી છે. કેશોદના માણેકવાડા ગામનું જય મુરલીધર ગ્રુપ દ્વારા આસપાસના વિસ્તારમાં જુદા-જુદા પ્રકારના મેડિકલ સાધનો વિનામૂલ્યે જરૂરતમંદોને પુરવાર કરવાની સેવાકીય પ્રવૃત્તિ કરીને જબ્બર લોકચાહના મેળવી છે ત્યારે કોવીડ-૧૯ મહામારી માં યોધ્ધા બની કામગીરી કરતાં કેશોદ ૧૦૮ નાં કર્મચારીઓ નું સન્માન કરીને પ્રોત્સાહિત કરવા બદલ અભિનંદન આપ્યા હતાં.
Trending
- લેબમાં બનાવેલા ડાયમંડની કિંમતમાં જબરદસ્ત કડાકો
- જામનગરની કલેક્ટર કચેરીએ ઈરાનના રાષ્ટ્રપતિના નિધન પર અડધી કાઠીએ રાષ્ટ્રધ્વજ ફરકાવાયો
- સોનાએ રૂ.77,000ની સપાટી વટાવી તો ચાંદીની રૂ.1 લાખ તરફની દોટ
- એરપોર્ટ પરથી ઝડપાયેલા 4 આતંકીઓ સાથે જોડાયેલા ‘સ્થાનિક ગદ્દારો’ કોણ?
- ક્યારેય વિચાર્યું છે કે, અજાણ્યા લોકો શા માટે આપણા જીવનમાં આવતા હોઈ છે..!
- રાજકોટ: જનાના હોસ્પિટલની બેદરકારીથી માસુમનું મોત થયાનો પરિવારજનોનો આક્ષેપ
- જામનગર : PGVCL દ્વારા સ્માર્ટ ડીઝીટલ મીટર સંદર્ભ વિશેષ પ્રયોગ કરાયો
- સુરતમાં હત્યારાઓ બન્યા બેફામ,ડીંડોલી વિસ્તારમાં હત્યાની ઘટના સામે આવી